Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 69
________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન સ્વાધીન છે, જે ખર્ચ અને તકલીફ વિના પણ ભાવી શકાય છે. સમ્યગ્રભાવથી જેમણે સ્વર્ગ, જિ કેવલજ્ઞાન અને મોક્ષ સંપત્તિને પ્રાપ્ત કરી છે, એવા બલદેવ મુનિને અનુસરનારા મુગલે, ભરતચક્રવર્તી, ઈલાચીકુમાર, છણશ્રેષ્ઠિ, સતી મૃગાવતી, ભાવ દેવ નામે ગૃહપતિ, મરુદેવામાતા તથા ચંડરદ્રાચાર્યના નવીન શિષ્ય વિગેરે ભાવથી કેને આશ્ચર્યચકિત નથી કરતા. અહીં ભાવના વિષયમાં આ મહાત્માઓના ચરિત્રોને વિચારી બાર ભાવનાઓ ભાવવા વડે સંસારસુખને દુઃખરૂપ માની મોક્ષસુખ માટે શક્તિ પ્રમાણે સદઅનુષ્ઠાનમાં પ્રવવું, જે સદઅનુષ્ઠાન કરવામાં અશક્તિ હોય તેની ભાવના ભાવવી. આ પ્રમાણે આ ભાવ કર્તવ્ય કહ્યું, હવે ક્રોધાદિને જય કરવારૂપ કર્તવ્ય કહે છે. - સંસારદુઃખથી મુક્ત થવાની ઇચ્છાવાળા આત્માઓએ સદાને માટે કોંધ-માન-માયા-લોભને જય કરવું જોઈએ. આ ક્રોધ-માન-માયા-લેભ એ ચાર કષાયમાં ક્રોધ-સંતાપ, કલહ, દુષ્ટ વાણી, Yિ અપયશ, દુમતિ, દુગતિ અને શત્રુપણું વિગેરે આપે છે, અને વિનય, પ્રીતિ, મૈત્રી, કીતિ, સુમતિ. સદગતિ અને પુણ્ય વિગેરેને નાશ કરે છે. માન છે તે વિદ્યા, સુશિક્ષા, સસેવા અને ગુણગ્રહણના | લાભને તથા ન્યાયમાગ, ઔચિત્ય, કીર્તિ, સન્મતિ અને સદગતિ આદિને નાશ કરે છે. તથા એ બધાથી વિપરીત બધું આપે છે. માયા છે તે વિશ્વાસ, યશ, સત્ય, સુકત, સન્મતિ, સુગતિ તેમજ મિત્રાદિકને નાશ કરે છે. તથા એ બધાથી વિપરીત બધું આપે છે. અને લેભ છે તે તે સર્વ પાપનું મૂળ in Education For Personal Private Use Only w hinelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132