SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પયુષણ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન મારે વિગેરે હિંસકે પણ આશ્ચર્યકારી દયાને પામી ગયા. અર્થાત એમણે જીવહિંસાને ધધો છોડી દીધો. રાજાની આજ્ઞાથી લેકે ગાય, ઘોડાઓ, બકરાઓ વિગેરે પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવવા લાગ્યા. એટલે નગરની બહાર પણ તળાવ, કૂવાઓ, સરવરે વિગેરે પાણીના સ્થળોએ ગાળેલા પાણી મળી રહે એવી વ્યવસ્થા કરાવી હતી. તેથી લોકો પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવતા હતા. પછી કુમારપાલ મહારાજાએ પિતાના દેશમાં પિતાના આશાવતી રાજાઓના | દેશમાં. અને બીજા રાજાઓના દેશમાં પણ પોતાના આપ્ત (હિતકારી) માણસોને મોકલી કયાંક ભક્તિ બતાવીને અને કયાંક ધન વિગેરેદ અને અમારિ–અહિંસાની ઉદ્દઘોષણા કરાવી, મારિ-હિંસાને નિવારી દીધી તથા મહારાજા કુમારપાલે પિતાના દેશમાંથી જુગાર, માંસ, સુરા (દારૂ) વેશ્યા, શિકાર, ચેરી, પરસ્ત્રીગમન એ સાત વ્યસને હિંસા કરાવનાર છે એમ માનીને માટીના પુરૂષોની આકૃતિવાળ સાત વ્યસનના સાત પુતળા બનાવી તે પુતળાઓના મેઢાઓ મણીથી કાળા બનાવી એ સાતેને સાત ગધેડાઓ ઉપર બેસાડી, આ સાત વ્યસનને મહારાજા કુમારપાલ દેશનિકાલ કરે છે, તેથી કેઇપણ આ સાતે વ્યસનને કંઇપણ રીતે આશરે આપશે નહિ, કેઈપણ સેવશે નહી, એવી ઉદઘોષણા કરાવવા પૂર્વક દરેક માર્ગોમાં ફેરવી લાકડી વિગેરેથી પીટતા કરી પિતાના દેશમાંથી કાઢી મૂક્યા. in Education a l For Personal Private Use Only www.inebrar og
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy