________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જ્યાં ત્યાં ચોમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. જોકે એ તરફ ખુબ ઝુકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્ર વંચાતા જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓનો આચાર આવતો. આ કારણથી લેકવર્ગમાં મહાન પુરુષોનાં જીવન ચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગી હતી. એ રુચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જેન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેર વાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવન ચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીને ભાગ જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું અને સર્વ સાધારણને તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લેકમાં વધારે વિસ્તાર પૂર્વક સાંભળવાની રુચિ જમી, કલ્પસૂત્રની લેકમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેર વાચન નિયમિત થઈ ગયું ત્યારે વખતના વહેણ સાથે સંયોગે પ્રમાણે આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭ મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારને પડઘો પાડતી ટીકાઓ પણ એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગૂજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઉતર્યું અને આજે જ્યાં ત્યાં વેચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લોકોની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કલ્પસૂત્ર અક્ષરશ્નઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે. અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે એમ માની લેવાની કોઈ ભુલ ન કરે. લોકશ્રદ્ધા, લેકચિ અને ઉપયોગિતાની દૃષ્ટિએ જે ફેરફાર થાય છે તે જે બુદ્ધિપૂર્વક કરવામાં આવે તે લાભદાયક જ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org