________________ 32 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વધારે આંકી, તેને ચૂસતો નથી. બીજો માણસ પણ તેવો જ સમભાવી છે, જે પોતાના તાબેના મજૂરોને પોતાનાં ફેફસાં જેવાં ગણું તેના કરતાં પિતાને ચડિયાતા કે જુદો નથી ગણતો, તેમને તેમની મજૂરી આપતાં જરાપણ અન્યાય કે શોષણ નથી કરતો. ત્રીજે માણસ પોતાના આશ્રિત કરેને જ પોતાનું જીવન લેખી તેમનાથી અતડે કે જુદો નથી પડતો. પિતાને માટે એક, અને આશ્રિતાને માટે બીજું એ ભેદ નથી રાખતે. એક ચણુની સરખી બે ફાડ કરીને જ આશ્રિત સાથે વહેંચણનું તત્ત્વ રાખે છે. ચેથે માણસ ગમે તેટલો ઉંચ વર્ણને મનાતે હોય છતાં એનો બધો જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે, એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લેત, પણ તેને તેના કામના બદલામાં પુરતું આપે છે. આ ચારે માણસે કાઈ નાની મોટી રકમ જાહેર કે ખાનગી અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઉલટું બીજા ચાર માણસે આવી સખાવત કરનારા છે, દુનિયામાં દાની તરીકે જાણીતા છે. પણ એમને પોતાના ખેડૂતો, મજૂર, આશ્રિત અને દલિત સાથે એવો વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની સાથેની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બન્ને ચિત્ર તમારી સામે હેય તો તમે સખાવત નહિ કરનાર પેલા ચાર માણસને ખરો અમારિ ધર્મ પાળનાર કહેશે કે પાછલા ચાર જણને? દુનિયાના શબ્દો ઉપર ન્યાયનું ધોરણ ઘણીવાર નથી હોતું. દુનિયા સ્થળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે, અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ માણસો કહી દે કે એ તે ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણું તો એના જીવનવ્યવહારમાં હોય છે. એટલે જેવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા કરે છે, અને એનો પિતાના સાથીઓ તેમજ પોતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org