Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi

View full book text
Previous | Next

Page 146
________________ સાંવત્સરિક ક્ષમાપના આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે. પર્યુષણમાં આપણે ત્રણ મુખ્ય કામ કરવાનાં હોય છે; સાવત્સરિક ક્ષમાપના, તપશ્ચર્યા. અને મહાપુરુષોની જીવનકથાનું શ્રવણ આપણે પ્રથમ સાંવત્સરિક ક્ષમાપનાનો વિચાર કરીએ. પ્રથમ પ્રતિક્રમણને ખ્યાલ લાવો. પ્રતિ=પાછા અને ક્રમણ=જવું તે. એટલે પોતાના દરરોજનાં કાર્યો, વચન અને વિચારે ઉપર પાછા જવું અને ક્યાં ભૂલ થઈ છે, તે જોઈ લેવું, અને તેની સાથે તેવી ભૂલ ફરીથી ન થાય તેવો દૃઢ નિશ્ચય કરવો તેનું નામ પ્રતિક્રમણ. શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ૨૨ તીર્થકરના સાધુઓ જે પળે ભૂલ થાય તે જ પળે પ્રતિક્રમણ કરી લેતા, તે પાપનું મિથ્યા દુષ્કત કરતા અને પછી બીજાં કાર્ય કરતા. જે મનુષ્ય ઉચ્ચ જીવન ગાળવાને ઈચછે છે, તેનું કર્તવ્ય એ છે કે જે પળે ભૂલ થઈ જાય, તે જ પળે તે ભૂલને સુધારી લેવી. બ્રાહ્મણોમાં એવો રિવાજ છે કે જ્યાં જનોઈ તૂટે ત્યાંથી નવી જનોઈ પહેર્યા વિના આગળ પગલું પણ ન ભરાય. તેને ગર્ભિત અર્થ એ છે કે જનોઈ એ મન, વચન અને કાયાની શુદ્ધિસૂચક ત્રણ દોરાની વણેલી હોય છે. હવે જનોઈ તૂટી એટલે મનથી, વચનથી કે કાયાથી કેાઈ દુષ્કૃત્ય થયું, તે પછી જ્યાં સુધી તે દુષ્કૃત્યની શુદ્ધિ ન કરે અને નવી જનોઈ ન પહેરે એટલે ફરીથી મન વચન અને કાયાની શુદ્ધિ રાખવાની પ્રતિજ્ઞા ન કરે, ત્યાં સુધી તે બ્રાહ્મણ આગળ વધી શકે નહિ. - હવે મનુષ્ય એટલે બધો સાવધ કે અપ્રમત્ત ન રહે કે જેથી ભૂલ થાય કે તરત જ તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય, માટે નિયમ રાખવામાં આવ્યું કે આખા દિવસના કાર્યોનું નિરીક્ષણ–પ્રતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186