Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ગમે તે રીતે હક્ક છે અને ખીજાને વૃત્તિના ભાગ બનવાને જન્મસિદ્ધ હક્ક છે એમ કદી ન માનતા;' સમાજધમ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિએ એ સદાકાળ એકસરખી હાતીજ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈનસમાજને બચાવવા અગર તા તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્રય પમાડે તેવાં ભાગમર્યાદાવાળાં વિધાના કર્યાં છે. હવેની નવીન જૈનસ્મૃતિમાં ચેાસ હજાર તે શું પણ એ સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે, તા જ જૈન સમાજ માનભેર ધસમાજેમાં માઢું બતાવી શકરો. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા ને ંધ્યે જ છૂટકા છે. હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્ક્ષર કે વ્યભિચાર જ નેાંધારશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈનસ્મૃતિમાં સ્ત્રીધાતકી ગણાશે. કારણ કે આજે નૈતિક ભાવનાનું બળ જે ચોમેર ફેલાઈ રહ્યું છે તેની અવગણના કરીને જૈનસમાજ બધાની વચ્ચે માનપૂર્ણાંક રહી જ ન શકે. નાતજાતનાં બંધના સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણુ વ્યવહારની સગવડનેા જ સવાલ હોવાથી તેના વિધાના નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રને આધાર શેાધવા જ હોય તે જૈનસાહિત્યમાંથી મળી શકે તેમ છે પણ એ શેાધનો મહેનત કર્યાં કરતાં ધ્રુવજૈનત્વ ’’-સમભાવ અને સત્ય–કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે એવી રીતે જૈનસમાજને જીવન અર્પનાર લૌકિક સ્મૃતિએ રચી લેવામાં જ વધારે ધ્યેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિષે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઉભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થએલ પરંપરા મહાવીરે ફેંકી દીધી તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યા. ચૈત્યવાસીએ ગયા પણ સમાજે ખીજી સંસ્થા માંગી જ લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186