Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના વ્યાપી રહેલ હાય છે. તેમ આ સર્વાં જુદા જુદા નામે જણાતાને આત્મા, ધર્મરૂપ વૃક્ષમાં સમાયા છે. ખીજાં એક દૃષ્ટાંત આપણે લઇએ. દિગબંર, શ્વેતાંબર કે સ્થાનકવાસી એ સર્વે જૈનધર્મ માનનારા લગભગ સરખી સખ્યામાં વહેંચાયા છે. પરસ્પરને નિંદતા જેમ જોવામાં આવે છે તેમ પરસ્પરમાં રહેલા ગુણાને જોઈ સ્તુતિ કરનાર પણ કાઈ કાઈ ગુણદૃષ્ટિએ જડી આવે છે. આપણે જૈનધર્મ માનનારા સવા તેર લાખ જેનેાને અમદાવાદે આમંત્રીએ. અને પછી એક સર્કલમાં ગોઠવીએ. એટલે કે દિગંબર, તેની જોડે સ્થાનકવાસી અને તેની જોડે દેરાવાસી, એ સર્વને એક સર્કલમાં ઉભા રાખી વચમાં આપણા પુણ્યાયે શ્રી મહાવીરસ્વામી પધારે તેા તેને કાણું વધ્ન નહિ કરે? વંદન કરનાર દિગંબર હા કે, શ્વેતાંબર હા, સ્થાનકવાસી હૈ। કે, તારણપથી હા, પરંતુ શ્રી મહાવીરને પોતાના ધમપિતા તરીકે સર્વ વૃંદો-પૂજશે-આજ્ઞા શિરાધાય કરશે, અને હૃદયમંદિરના સિહાસનપર બેસાડી તેમની આરાધના કરશે. સર્વ આવેળાએ એ જ પ્રભુનું પૂજન કરે છે, ત્યારે આપણી એકવાક્યતા— આપણા સમન્વય આપણી harmony આપણા સંવાદન ક્યાં છે, તે આ ઉપરથી જોઇ જકાશે. વંદન, નમનનાં વિધાન જુદાં નથી, પણ વિવિધ છે, પરંતુ એ વંદન કે નમન શ્રી મહાવીરને છે એ વાત ઉદારદીલ તા સ્વીકાર્યો. વિના નહિ રહે. શ્રીમહાવીર આ પ્રમાણે આપણા સર્વના—સવાતેરલાખના જો ધર્મપિતા છે તેા આપણે તેના ધ-આરસ પુત્રા છીએ. અને તેથી આપણે એ એક પિતાના ધર્મપુત્રા હાવાથી બધા બાંધવા છીએ. માટે આપણી દૃષ્ટિ આપણા સધળા વિધાનમાં પ્રથમ શ્રી મહાવીર તરફ હાવી જોઈએ અને પછી આપણા બાંધવા પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186