________________
૧૨૨
પયુષણ પર્વનાં વ્યાખ્યાને હવે આપણે સંઘને વિચાર કરીએ. ઉમાસ્વાતિ સ્વાદ પ્રશમરતિમાં લખે છે કે પપપપ વાના છે પરહ્યું ઉપકારી છે. શ્રાવકે સાધુઓને સંયમ નિર્વાહનાં સાધનો પુરાં પાડે અને સાધુઓ શ્રાવકને જ્ઞાનપ્રાપ્તિમાં મદદ કરે, આ રીતે ચતુવિ સંઘનાં ચારે અંગે એકબીજાને સહાયક છે. પણ જ્યાં અજ્ઞાન વધે અને બીન મહત્વની બાબતોને પ્રધાનપદ આપવામાં આવે, ત્યાં પક્ષાપક્ષી થાય અને ઝઘડાઓ વધે, અને જ્યાં ધર્મને હેતુ એકતા સંપ, અને શાંતિ હોવો જોઈએ, ત્યાં જ ધર્મનિમિત્તે વેર વિરોધ થાણ એ નહિ ઈચ્છવા ગ્ય ઘટના છે. જ્યારે જ્ઞાનપ્રવાહ જીવંત હેય લેકે મુખ્ય સિદ્ધાંતને લક્ષમાં રાખી દેશ કાળ પ્રમાણે સુધારા કરતા રહેતા હોય ત્યાં પ્રગતિ સારી રીતે થાય છે, પણ જ્યાં સત્યને અમુક વ્યવસ્થિત રૂપ આપવામાં આવે છે, અને સ્થિતિચુસ્તતા જ ધર્મ મનાય છે, ત્યાં પ્રગતિ અટકી પડે છે, અને સંઘમાં કુસંપ વ્યાપે છે. જેમ અત્યારે દેશની પ્રગતિ ખાતર નાના નાના મતભેદો દૂર કરવામાં આવે છે, તેમ સંઘની પ્રગતિ ખાતર સંઘના વિવિધ અંગેએ બીન મહત્ત્વની બાબત સંબંધી કલહ કંકાસથી દૂર રહેવું જોઇએ.
હાલમાં જે પક્ષાપક્ષી કે કલહ દેખાતા હોય, તો તેનું એક કારણ સ્થિતિચુસ્ત અને પ્રગતિશીલ વિચારે વચ્ચેનો વિરોધ છે.
જ્યાં જ્યાં સ્થિતિચુસ્ત વિચાર અને પ્રગતિશીલ વિચારકેનું સંમેલન થાય, ત્યાં એક બીજાને સમજવાને બદલે પિતાને કકકે ખરે કરાવવાનો આગ્રહ હોય ત્યાં ઝઘડા સિવાય શું બીજું પરિણામ આવે!
બીજું મોટું, કારણ ખરા નાયકે-આગેવાનોની ખામી છે. જેઓ નિઃસ્વાથી, કૃતકૃત્ય, પરોપકારી, બુદ્ધિશાળી, પ્રેમાળ, સત્યવચની, કાર્યદક્ષ અને કુનેહ બુદ્ધિવાળા હેય, અને જેમના હૃદયમાં સંધનું હિત કેમ કરવું એ જ પ્રધાન લક્ષ હોય, તેવા આગેવાને ક્યાં છે? જેઓ Calculating-ગણત્રી કરનારા હોય, પોતાને કે પિતાના
ખાતા હોય
એ જ્યાં સ્થિતિ અને પ્રગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org