________________
સાધુસંસ્થા અને તીર્થસ સ્થા
१७ તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પોતાના ધ્યેયપરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે ? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જે કાઈની દોરવણી કરવાની હોય તે તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકહેણીના નિયમે એ બધું યોજાયેલું હતું. જેમ કેાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઉંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગા સંબંધીઓના ત્યાગની, અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જેન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા, પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં, છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઉંડી વિચારણા કર્યા વિના કે, પાકી સ્થિરતા આણ્યા વિના જ મોટે ભાગે સાધુ વર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણુંમ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઉડી જતાં કે ખસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org