________________
- ૩૭
અહિંસા અને અમારિ છે ખરું ? અથવા એવો અભ્યાસ કરી ખરી બીના કેઈ મેળવે છે ખરો? સેંકડે સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઉતરે. છતાં એમાં કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિષે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડત? જે અત્યારે કાઈ પણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરનો આદર્શ સેવવા માગે તો તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જુ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી કતલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિ ધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે છુંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્ત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમજ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજુ કરે. કતલ થયેલા પશુ અને પંખીઓના ચામડાં તેમજ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાચા કામમાં ચરબી વાપરવાથી અને ખેતરમાં લોહીની ભૂકીનું ખાતર આપવાથી તેમજ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કીંમત વધવાને લીધે, તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું લેિકે સમક્ષ આબેહૂબ રજુ કરે અને કતલને ધંધો મૂળમાંથી જ ત્રિાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકે એક અવયવની પરીદ અને વાપર તરફ લોકોની અરુચિ પેદા કરે. મરેલા ઢોરનાં કામડા સિવાય કતલ કરેલ ઢેરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ મિઠામાં પેદા કરે. બીજી બાજુ ઉંચ કેળવણી માટે તલસતો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org