________________ 18 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધસંઘો વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું, એના પૂરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિઓમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવો અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી, અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પોતાની ઇચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી, રાજદંડ ધારણ કરનાર અશોકની ધર્મઆજ્ઞાઓને પ્રભાવ દરેક પંથના લેકે ઉપર કેટલો પડયો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાનો દ્વારા અહિંસાના પ્રચારને આ માર્ગ અકથી અટકો નથી. તેના પૌત્ર જાણતા જૈન સંપ્રતિરાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પિતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજાઓ, રાજકુટુંબ અને મોટા મોટા અધિકારીઓ અહિંસાના પ્રચાર તરફ ઝુકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે. એક તો એ કે અહિંસાપ્રચારક સંએ પોતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટ સુધી થઈ હતી. અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણું કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આહંત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકીર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગે માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઈતિહાસ સ્પષ્ટ કહે છે. છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સંઘના કાર્યો જ સફળતા વધારે મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમ જ રાજકુટુંબ અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org