________________ --- - 22 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. પાછળ એ અને એટલે બધો ખર્ચ થાય છે કે ઉલટો એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમેરાનું કારણ થઈ જાય છે. (2) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઉભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઉભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધમ અને પરદેશના ભાઈ એ આપણું દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દષ્ટિથી, સેવા કરનારી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણું દેશવાસીઓ જીવનનિર્વાહ તેમ જ બીજી સગવડસર આપણું દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લોકે તરફ ઢળી જતા હોય, ત્યારે તે દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર માનવસેવા તરફ સૌથી પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઉભી થાય એ સ્વાભાવિક છે. આ બે સત્ય ઉપર જ આજની આપણી અહિંસા અને અમારિનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે. જીવનની તૃષ્ણ હોવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાત ઉભી કરી તે પુરી પાડવા ખાતર બીલકુલ બદલે આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તો ઓછામાં ઓછા બદલે આપીને બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિંસાની છે તાવિક હિંસા તો એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈ પણ જાતના થોડામાં ચેડા વિકારનો પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિા અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તે ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે. પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ અહિંસાને વિચાર કરવાનો હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમજ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાને વિચાર પ્રસ્તુત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org