________________ 24 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અથવા બીજા નબળાના હકકની જેટલી વધારે રક્ષા એટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલું વધારે સુખસગવડને ભેગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હેય, તેટલો તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઉલટું જેટજેટલું વધારે સ્વાર્થીપણું તેટતેટલો તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રના ઈતિહાસ ઉપરથી એક નિશ્ચિત જે પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બન્ને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તરવો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વો છે. એ બને તોની જગતના કલ્યાણાર્થે એક સરખી જરુરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દર્શન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દશન વિનાના આપણું જેવા સાધારણું લેકના જીવનમાં પણ ઉતરી શકે છે. અહિંસા એ નકારાત્મક હોવાથી બીજા કેઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ આવી જાય છે, અને એમાં બહુ જ બારિકીથી વિચાર ન પણ કર્યો હોય છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શકય છે, જ્યારે દવાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંયોગ તેમજ પરિસ્થિતિ ઉપર રહેલું હોવાથી, એને પાળવામાં વિચાર કરવો પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે, અને બહુ જ દેશકાળની સ્થિતિનું ભાન રાખવું પડે છે. અહિસા અને દયા બન્નેની પાછળ સિદ્ધાંત તો આત્મૌપજ્યને છે, એટલે તત્ત્વની દૃષ્ટિએ કાઈ પણ ક્ષુદ્રમાં સુદ્ર કે મોટામાં મોટા જીવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org