________________ અહિંસા અને અમારિ 19 માનવાને ઘણું કારણે છે. પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આહંત કુમારપાળની અહિંસા તો એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જેન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોના બાદશાહ પાસેથી અહિંસા પરત્વે મેળવેલાં ફરમાને હમેશને માટે ઈતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારે, લાગવગવાળા અમલદારે અને ગામના આગેવાન પટેલ તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જે આપણે મેળવી શકીએ અને મળી આવે તે આ દેશમાં અહિંસાપ્રચારક સંધે અહિંસાનું વાતાવરણ ઉભું કરવા કેટલો પુરુષાર્થ કર્યો છે એની કાંઈક કલ્પના આવે. અહિંસાપ્રચારના એક સગેટ પૂરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપોળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચોક્કસ કહેવું કઠણ છે. છતાં ગૂજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રને મુખ્ય હાય હેય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપુતાનાના અમુક ભાગનું કાઈ એવું જાણુનું શહેર કે સારી આબાદીવાળા કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાના ગામડાઓમાં પણ પ્રાથમિક નિશાળો (પ્રાઈમરી સ્કુલ) ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપળા મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દરવર્ષે આ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા. અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામેટા લાખેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org