________________
પ્રાચીન ભારતમાં વાદો / ૫ થાય છે. દરેક વસ્તુ કે પદાર્થના અનેક ગુણદોષ કે ધર્મો હેય છે. તેમાંથી કેટલાકને અમુક જ જણાય છે અને બીજા કેટલાકને એથી તદ્દન જુદા જ જણાય છે. એક દષ્ટિકોણથી જોનારનું દર્શન બીજા દૃષ્ટિકોણથી જોનારના દર્શન કરતાં તદ્દન ભિન કે વિપરીત હાઈ શકે છે અને બંને પોતપોતાની મર્યાદિત રીતે સાચા હોઈ શકે છે. પરંતુ આ આંશિક સત્યના દર્શનમાંથી જ્યારે મહાગ્રહ થાય છે ત્યારે તેમાંથી વાદ જન્મે છે ને એમ થાય છે ત્યારે કેટલીક વાર બીજાના દર્શનને ખોટું ઠરાવવાને સભાન સહેતુક પ્રયત્ન થાય છે. આથી જ કહેવાય છે કે વાદ રાગ અને દ્વેષની વૃદ્ધિ કરનાર છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે રસ વાવે પરસ્પરવિરુદ્ધ વાદો વરચે વૈર વધે છે, સંઘર્ષ થાય છે. (વા વા વર્ષતે વૈરઢિ), ક્યારેક યુદ્ધો પણ થયાં છે. સંસારનું સ્વરૂપ જ એવું છે કે વાદ, વાડા, પંથ, સંપ્રદાય વગેરેને ક્યારેય સર્વથા ઉરછેદ થઈ શકશે નહિ.
ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે તેમ વ્યાકરણ અને ન્યાય, વેગ અને અધ્યાત્મ, સાહિત્ય અને વિજ્ઞાન, જ્યોતિષ અને આયુર્વેદ, રાજ્યનીતિ અને અર્થનીતિ વગેરેનાં ક્ષેત્રમાં પણ પ્રાચીન ભારતમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ કે વાદે પ્રચલિત હતાં. જેમ કે, જે વાદ એમ માને છે કે કોઈ પણ ક્રિયાનું કંઈ પણ ફળ નથી તે વાદ અફલવાદ છે. જે વાદ એમ માને છે કે પાપ, પુણ્ય વગેરે ક્રિયાઓ જીવ પોતે નથી કરતે તે વાદ અકારકવાદ છે. જે વાદ એમ માને છે કે માત્ર પાંચ મહાભૂતે જ છે અને આત્મા જેવું કંઈ નથી તે પંચમહાભૂતવાદ છે. તે એમ માને છે કે બેલવું, ચાલવું, ખાવું, દડવું, વગેરે ક્રિયાઓ આ પંચમહાભૂતે જ કરે છે. જે વાદ માને છે કે આ પંચમહાભૂત એકત્ર થાય છે અને તેમાં તે ઉપરાંત એક જુદી ચેતનશક્તિ ઉત્પન્ન થાય છે અને તે શરીર પાસે બધી ક્રિયાઓ કરાવે છે અને તે શક્તિ પંચમહાભૂતથી ભિન્ન નથી, અને પંચમહાભૂત સાથે તે શક્તિ પણ નાશ પામે છે તે વાદ તજજીવતરછરીરવાદ છે. જે વાદ