________________
પ્રાચીન ભારતમાં વાદા
' વાદ' શબ્દ સ ંસ્કૃત વચ્ ધાતુ પરથી આવેલા છે. આ શબ્દના એક અં’‘નાદ' અથવા ‘અવાજ છે. લક્ષણાથી એને અ અવાજ કરીને બીજાનું ધ્યાન ખેંચવું એવા પણ થાય છે. ‘વાદ’ના વાતચીત, વાર્તાલાપ, ભાષણ, નિવેદન, સલાહ, સિદ્ધાંત, પ્રસ્તાવ, શાસ્ત્રાર્થ, વગેરે અર્થા થાય છે. એમાંથી વાદ એટલે લીલ, ચર્ચા, વિવાદ, પક્ષ, સંશય, મતભેદ, ભાંજગડ, તકરાર, આક્ષેપ, ચડસાચડસી, દલીલખાજી વગેરે અર્થા પ્રચલિત થયેલા છે. તદુપરાંત વાદ એટલે કરાર, સમજૂતી, વિવરણ, ખુલાસા, પરિણામ, અહેવાલ વગેરે અર્ધો પશુ પ્રચારમાં આવેલા છે. વાદ કરવાથી, કાઈ પણ એક પક્ષ લઈ એને તર્ક શક્તિથી ખચાવ કરવાથી, એનું મંડન કરવાથી અથવા અન્ય પક્ષનું ખંડન કરવાથી બુદ્ધિચાતુર્ય ખીલે છે. જુદા જુદા વાદેને સાંભળવાથી, એને અભ્યાસ કરવાથી માણસનું જ્ઞાન ખીલે છે, સમજશક્તિ વધે છે, દન સ્પષ્ટ થાય છે. પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષની રચના કરી બંને વચ્ચે વાદવિવાદ, સવિવાદ કે પરિસંવાદ કરાવવાથી વિષયની ગુાવટ સારી થાય છે અને તથ્ય બહાર આવે છે. એટલા માટે જ કહેવાય છે કે વારે વારે નાયતે તત્ત્વનોય !