________________
ચૌદમું :
પાપનો પ્રવાહ પત્ની અને પુત્રને જ યજ્ઞનિમિત્તે કાં હણતાં નથી કે જેથી તેઓ નિઃસંશય સ્વર્ગમાં જ જાય ? અર્થાત યજ્ઞનિમિત્તે હિંસા કરવી એ જ્ઞાનમૂલક છે અને તે પણ બીજી હિંસા જેટલી જ અનુચિત છે. આ જ કારણે વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરે હિંસક યોની નિષ્કલતા પિકારી હતી અને ભાવયજ્ઞવડે આત્માને શુદ્ધ કરવાની હાકલ કરી હતી.
કેટલાક મનુષ્ય કાલી, મહાકાલી આદિ દેવીઓને પ્રસન્ન કરવા માટે તેમને બકરાં કે કૂકડાં વગેરે પ્રાણીઓને ભેગ આપે છે, પણ તેઓ એ વિચાર કરતા નથી કે જે જગદંબા છે, જગતની માતા છે, પ્રાણી માત્રની જનની છે તે પિતાના જ પ્યારા બાળકની કલથી કેમ પ્રસન્ન થશે? અને જે તે એવી રીતે જ પ્રસન્ન થતી હોય તે જગદંબા કે જગજનની શાની? એટલે માતાને પ્રસન્ન કરવા માટે પ્રાણીઓની હિંસા કરવી, એ પણ અજ્ઞાન ચેષ્ટા જ છે અને તેનું ફળ દુર્ગતિ છે.
કેટલાક મનુષ્ય શિકારના શેખથી પ્રાણીઓની હિંસા કરે છે, તે પણ કેટલું અનુચિત છે ?
वसन्त्यरण्येषु चरन्ति दुर्वा, पिबन्ति तोयान्यपरिग्रहाणि । तथापि वघ्या हरिणा नराणां,
को लोकमाराधयितुं समर्थः १ ॥१॥ જેઓ અરયમાં રહે છે, ઘાસ ખાય છે અને બીજાએ નહિ ગ્રહણ કરેલું પાણી પીએ છે, તે હરણને મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com