________________
ધોધ ગ્રંથમાળા
: ૩૪ ઃ
- પુષ્પ
પ્રાણીમાત્રના સંરક્ષક સાતપુત્ર શ્રી મહાવીરે વસ્ર આદિ બાહ્ય વસ્તુઓને પરિગ્રહ કહ્યો નથી, પણ તેના પરની મૂર્છાનેતેના પરના મમત્વને જ પરિગ્રહ કહ્યો છે, એમ મહર્ષિઓએ કહેલુ છે.
પરિગ્રહના સપૂર્ણ ત્યાગ ન કરી શકે તે એની મર્યાદા કરે, એનું નિયંત્રણ કરે. કહ્યું છે કેઃ
જે
असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् | मत्वा मूर्च्छाफलं कुर्यात्, परिग्रहनियन्त्रणम् ॥ १ ॥ દુઃખના કારરૂપ અસતાષ, અવિશ્વાસ અને આરંભ એ સઘળાં મૂર્છાનાં-મમત્વનાં ા છે, એમ જાણીને પરિગ્રહનુ નિયંત્રણ કરવુ" એટલે કે અમુક પ્રમાણુથી વધારે ન રાખવાના નિયમ કરવા.
આ માટે શાસ્ત્રકારોએ પરિગ્રહના નવ પ્રકારા પાડેલા છે. તે આ રીતે
:
(૧) ધનઃ તે ચાર પ્રકારનું છે-( ૧ ) ગણિમ એટલે ગણીને લેવાય તેવું. જેમ કે શ્રીફળ, સોપારી, રાકડા પૈસા વગેરે. (૨) ધરિમ એટલે તાળીને લેવાય તેવુ'. જેમ કે ગાળ, સાકર, કરિયાણાં વગેરે. ( ૩) એય એટલે માપીને લેવાય તેવું. જેમ કે ઘી, તેલ, દૂધ, કાપડ વગેરે. અને (૪) પરિચ્છેદ્ય એટલે કસીને કે પરીક્ષા કરીને લેવાય તેવું. જેમ કે હીરા, મેાતી, સાનું વગેર.
(૨) ધાન્ય : દરેક જાતનું અનાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com