________________
ધમધ-ચથમાળા : ૭ર : નિંદા કરે તે થાય નારકી રે,
તપ-જપ કીધું સહુ જાય રે; નિંદા કરો તે કરજે આપણી રે,
જેમ છૂટકબારે થાય રે. • ઘીને જવા દેનાર અને ચરાને પકડી રાખનાર ગરણી જેમ આખરે કચરાથી ભરાઈ જાય છે, તેમ અન્યના ગુણેની ઉપેક્ષા કરનાર અને તેના દેને નજર સમક્ષ રાખનાર સમય જતાં પોતે જ દેથી ભરાઈ જાય છે. તેથી ઇરછવા છે કે કેઈએ કેઈની નિંદા ન કરતાં પોતાના દે જોવામાં જ સાવધાન રહેવું અને એ રીતે આત્મસુધારણ કરી મળેલા માનવભવને સાર્થક કરવો.
(૧૭) માયામૃષાવાદ, જેમાં માયા અને મૃષાવાદને સંયુક્ત આશ્રય લેવામાં આવે છે, તેવા સઘળા પ્રપંચે, દગા ફટકાઓ અને કાવતરાંએને સમાવેશ સત્તરમા પાપસ્થાનકમાં થાય છે. જ્યાં એકલી માયા અને એક મૃષાવાદ પણ પાપનું કારણ છે, ત્યાં એ બંનેને સહાગ પરમ પાપનું કારણ બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના શબ્દો યાદ રાખવા લાયક છે. તેઓ માયામૃષાવાદના સ્વાધ્યાયમાં જણાવે છે કે
એ તે વિષને વળી ય વધાર્યું,
એ તો શસને અવળું ધાર્યું, એ તે વાવનું બાળ વિકાયું,
હે લાલ! માયા મેહ ન કીજીએ. જેમ વિષને વઘારવાથી, શસ્ત્રને અવળું ધારણ કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com