Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ ચૌદમું : : ૧૫ ૪ પાપને પ્રવાહ अप्पण्णट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं वृया, नो वि अनं वयावए ॥१॥ પિતાના સ્વાર્થને માટે કે બીજાના લાભને માટે, કેધથી અથવા ભયથી કઈ પણ પ્રસંગે બીજાને પીડા પહોંચાડનારું મૃષાવચન પિતે બોલવું નહિ અને બીજા પાસે બોલાવવું પણ નહિ. दिटुं मियं असिंदिद्ध, पडिपुण्णं वियंजियं ।। अयंपिरमणुविग्गं, भासं निसिर अत्तवं ॥ १ ॥ આત્માથી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ધ, પરિપૂર્ણ, સ્પષ્ટ અનુભૂત, વાચાલતા રહિત અને કેઈને પણ ઉદ્વેગ ન પમાડનારી વાણી બોલવી જોઈએ. કેટલાક મનુષ્ય એમ માને છે કે-જૂઠું બેલીને બીજાને છેતર્યા વિના ધંધો ચાલે નહિ કે ધંધામાં સફળતા મળે નહિ. તેમણે યુગયુગના અનુભવ પછી મહર્ષિઓએ ઉચ્ચારેલા આ શબ્દો યાદ રાખવા ઘટે છે કે “સત્યમેવ =ત્તિ નામૃતમ્ – સત્ય જ જય પામે છે, નહિ કે અસત્ય. જૂઠું બોલવાથી ગ્રાહક એક-બે વાર છેતરાય છે, પણ આખરે તેમને વિશ્વાસ ઊઠી જાય છે અને પરિણામે ધંધામાં નુકશાની વેઠવી પડે છે. બીજી બાજુ સાચું ઓલનાર ધીમે ધીમે પણ મક્કમપણે પ્રતિષ્ઠા જમાવતે જાય છે, તેથી તેને બંધ દિન-પ્રતિદિન વિકાસ પામે છે અને છેવટે તેને જય થાય છે. એટલે બીજાને છેતર્યા વિના પંથે ચાલે નહિ કે ધંધામાં સફલતા મળે નહિ એ માન્યતા ખોટી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82