________________
* પુષ્પ
ધમધ-ચથમાળા : ૩૦ :
પરિગ્રહમાં ત્રસરણ જેટલે પણ કોઈ ગુણ રહેલે નથી જ્યારે દોષ તે મેટા પર્વત જેવડા ઉત્પન્ન થાય છે.
ઘણુ પરિગ્રહવાળાની હાલત શું થાય છે? તે પણ સ્પષ્ટતયા જણાવ્યું છે:
मुष्णन्ति विषयस्तेना, दहति स्मरपावकः । रुन्धन्ति वनितान्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ॥१॥
ઘણે પરિગ્રહ એકઠે કરનાર મનુષ્યને વિષયરૂપી ચેર લૂંટી લે છે, કામરૂપ અગ્નિ બાળે છે અને વનિતા એટલે સ્ત્રીરૂપી શીકારીઓ તેના માર્ગનું રુંધન કરે છે. તાત્પર્ય કે-જ્યાં ઘણે પરિગ્રહ એકઠા થાય છે ત્યાં રાજસિક અને તામસિક વાતાવરણ વ્યાપી જાય છે, તેથી વિષયની ઉત્પત્તિ વિશેષ થાય છે અને સ્પર્શનેન્દ્રિય મનેઝ સ્પર્શમાં, રસનેંદ્રિય સારું સારું ખાવામાં, ધ્રાણેન્દ્રિય સુગંધી પદાર્થોના ઉપગ કરવામાં, ચક્ષુરિન્દ્રિય રૂપ-રંગ જોવામાં અને શ્રોત્રેન્દ્રિય મધુર શબ્દોને આસ્વાદ લેવામાં તત્પર રહે છે. તે સાથે કામની ઉત્પત્તિ પણ વિશેષ હોવાથી અગ્નિવૃતન્યાયે તે સદા જલતે જ રહે છે. અને કદાચ અતિપરિગ્રહવાળે સ્વયં કામાતુર ન થાય તે લક્ષ્મીની લાલચુ સ્ત્રીઓ તેને પિતાની જાળમાં ફસાવવાની કોશીશ કરે છે અને તેમાં ઘણે ભાગે તેઓ સફલ થાય છે. વળી ઘણું પરિગ્રહની પંચાતમાં પડેલા મનુષ્ય આહાર-વિહારમાં અનિયમિત થવાથી કે ઘણું કેમલ થઈ જવાથી વિવિધ વ્યાધિવડે ઘેરાય છે અને તેમના પરિગ્રહને સારો એવો ભાગ વૈદ્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com