________________
મહેમાનોને ખાસ વારાફરતી આવવાની સૂચના આપે છે, જેથી ટાઈમ પાસ થાય. સમયની તીવ્ર અછતવાળો પ્રદેશ ગણાતા જીવનમાં સમયની આમ છૂટે હાથે લહાણી ક૨ના૨માંદગીતો એક વરદાન છે.
મહિનામાં જેટલો સમય પરમાત્મા પાછળ જતો હતો તેટલો સમય તો માંદગી વખતે લગભગ રોજ પરમાત્માને ફાળે જાય છે. માંદગીના માધ્યમે પરમાત્મા સાથે કેવું નિકટનું અનુસંધાન સાધી શકાય છે. કેવી આશાભરી મીટ પ્રભુ તરફ મંડાય છે! પ્રાર્થનાનો પૂલ પણ કેવો સ૨સ બને છે. એક છેડે પીડા ને બીજા છેડે પ્રભુ ! અને બિછાના પર સૂતેલાનું મુખ હોય લગભગપ્રભુ તરફ !
‘સાપવ: સંન્તુ ન: જ્ઞશ્વત્' ના ઉદ્ગારો કાઢનારી પાંડવ માતા કુંતીએ ઈશ્વરને ‘સતત આપત્તિઓ વરસતી રહો'ની પ્રાર્થના કરી. તેનું રહસ્ય આ જ છે કે તેને મન તે આપત્તિ નહોતી પણ પ્રભુસ્મરણની અને પ્રભુ સાથે નૈલ્ક્ય સાધવાની જ્વલંત તક હતી.
સામાન્ય સંયોગોમાં થતા પરમાત્મસ્મરણ અને વિષમ સંયોગોમાં થતા પ૨માત્મસ્મરણને સરખાવીને બંનેના ગુણધર્મોનું રાસાયણિક પૃથક્કરણ કરશો તો રિપોર્ટ લગભગ સ્પષ્ટ હશે કે વિષમ સ્થિતિમાં થતા પરમાત્મસ્મરણ વખતે યાચક રસ વધુ ઘટ્ટ હશે, શરણાગતિનો સૂ૨વધુ બુલંદ હશે, પ્રાર્થનાનો ટ્યૂન વધુ તીવ્ર હશે. જાણે જનમ-જનમના સાથી હોય તેમ પરમાત્મા સાથે આવો સ્નેહનો સેતુ સાધીઆપનારીમાંદગી તો એક વરદાન છે.
જીવનમાં સતત કાર્યરત રહેનારો અને કર્મો બાંધતો જ રહેલો માણસ તેના વિપાકો પ્રત્યે બેફિકર હોય છે. માંદગીના અવસરે તેને એક અવકાશ મળે છે વિચારવાનો, કે આ શેનું પરિણામ છે? બેફામ
મનનો મેડિકલેઈમ ૧૯
-•-•-..