Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 43
________________ નથી. આવા સમયે મનની લાઈન બીઝી રાખવાનો રોકડો ફાયદો એ કે શરીરનો કોલ રિસીવ ક૨વો ન પડે. કો'કનો કોલ મિસ થયાની ખબર પડે એવું બને ખરું, પણ પછી તો વ્યક્તિ કામની જણાય તો જ નંબ૨ જોડાય છે ને ! કોઈ આપણને ઈશારો કરે અને જવાબ આપવાની આપણી ઈચ્છા ઓછી હોય ત્યારે આપણે બીજા કોઈ સાથે ‘ખૂબ અગત્ય’ની વાતોમાં પરોવાઈ નથી જતાં ? કામ કરવાની દાનત ન હોય તો કોઈ ઉઠાડે ત્યારે જાગતા હોવા છતાં પણ ઊંઘી જતા આપણને આવડે જ છે ને ! યાદ રાઓ, દુઃખ આપવું કે નહીં તે ભલે કર્મના હાથમાં હોય પરંતુ આવેલા દુઃખ પર ધ્યાન આપવું કે નહીં તે તો આપણા જ હાથમાં છે. ગુજરાતીમાં કહેવત છે ઃ ‘દુઃખનું ઓસડ દહાડા’. દિવસો જતા દુઃખ જતું નથી રહેતું પણ દુઃખ ભુલાઈ જાય છે. અને તેથી પછી તે ખાસ પીડાકારી રહેતું નથી. જેને સ્વજન વિયોગ થયો છે તેને વિયોગ તો કાયમ રહે જ છે, છતાં દિવસો જતાં તે વિયોગ માત્ર મકાનમાં રહે છે, મનમાં વર્તાતો નથી. અને તેથી જ દિવસો જતાં વિયોગ કાયમી હોવા છતાં તેનું ચિંતન અટકવાથી તે વિયોગ એટલો પીડાકારી રહેતો નથી. શાસ્ત્રોમાં પણ દુઃખને ભૂલી જવાની આ જ દવા બતાવી છે. મૈષખ્યમંતદુવસ્ય યદુવું નાનુચિન્તયેત્ા દુ:ખને ભૂલવું હોય તો દુઃખનું વારંવાર ચિંતન કરવાનું ટાળો. તોફાની વિદ્યાર્થીની હાજરી ન પુરાય, પછીતેને ડિસમિસ કરીશકાય. મનનો મેડિકલેઈમ ૩૮ -0-0-0-0

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110