________________
કોઈ ટૅક્નૉલૉજી જ નથી. ધર્મશાસન આ મહાવિસ્મયકારી ટૅક્નૉલૉજી ધરાવે છે. આ જ મહત્ત્વનો મુદ્દો વિજ્ઞાન ઉપર ધર્મની સરસાઈપ્રસ્થાપિત કરે છે. સગવડ ભોગવતા તો માણસને ક્યારે નહોતું આવડતું એ જ પ્રશ્ન છે. આવી પડેલી અગવડોને પૂરી સ્વસ્થતાથી ભોગવી જાણે આ મોટો ચમત્કારછે.
પ્રૌઢાવસ્થામાં જ એક ભાઈની બંને આંખોની રોશની અચાનક ચાલી ગઈ. પોતે વાંચનના અત્યંત રસિક હોવાથી સરેરાશ રોજ છથી આઠ કલાક વાંચન કરતા. તાત્ત્વિક, સાત્ત્વિક અને દાર્શનિક સાહિત્યના ઊંડા અભ્યાસી બની શકેલા તે ભાઈને કોઈ સ્નેહીએ પ્રશ્ન પૂછેલો : ‘હવે વાંચનનો અવરોધ ઊભો થયો, કેમ?' સામે ૨ોકડો જવાબ તૈયા૨ જ હતો : ‘ના, રે ના. અત્યાર સુધી જે વાંચ્યું છે તેના પર મનન કરવાનું કેવું મોકળું મેદાન મળી ગયું ! અત્યાર સુધી જે વાંચ્યું છે તેના ૫૨ પરીક્ષા આપવાનો આ અવસર આવ્યો છે.’
પછી હસતાં હસતાં કહે : ‘પરીક્ષાની પહેલાં વાંચેલું હોય તે પરીક્ષા વખતે કામ લાગે. પરીક્ષાના સમયે તો વાંચવાનું બંધ જ કરવું પડે ને ! અત્યારે તો પેપ૨ લખી રહ્યો છું. બહુ મજા પડે છે.’
આને દૃષ્ટિનો ઉચ્છેદ કહેવો કે ઉઘાડ ! દૃષ્ટિમાં સુધા૨ો જણાતો ન હોય ત્યારે દૃષ્ટિકોણમાં સુધારો લાવવાનું શક્ય છે. અને આ કેસ ફાઈલ આપણા સિવાય બીજા કોઈના હાથમાં નથી. You cannot change the winds, but you can adjust the sails.
લેખકની શક્તિ હાથમાં રહી હોય છે. હાથ નબળા પડતાં તે નબળો પડે છે. દોડવીરની શક્તિ પગમાં રહી હોય છે. પગ થાકતા જ તે અટકી પડે છે. નિશાનબાજની શક્તિ આંખમાં રહી હોય છે. આંખે ઝાંખપ આવતા જ તે ઝંખવાણો પડે છે. સાધકની શક્તિ તો મનમાં રહી હોય છે અને મનને
-•-•-•-• મનનો મેડિકલેમ ૬૬.
-0-0-0