________________
હૃદયમાંથી રોગનો ભય કાઢી નાંખ્યો છે. આજથી ચારેક દાયકા પૂર્વે માણસને આંખનો મોતિયો ઉતરાવવો હોય તો જેટલા દિવસોનું એડજસ્ટમેન્ટ કરવું પડતું હતું. આજે તેનાથી ઓછા કલાકોમાં જ સર્જરી થઈ જાય છે. હવે સર્જરી કરાવવી એટલે જાણે કે વધી ગયેલા વાળ કપાવવા જેટલી સહજ બાબત થઈ પડીછે.
હાર્ટની બાયપાસ સર્જરી કે મગજના પરેશન્સ પણ હવે એટલા જોખમી રહ્યા નથી. મુંબઈનો દર્દી અહીં બેઠા ન્યુયોર્કના કોઈ નિષ્ણાંત ડૉક્ટરને પોતાના રિપોર્ટ્સ મોકલીને કન્સલ્ટ કરી શકે છે.
ચકચકતી મેટલના સ્કૂ, સળિયા કે બોલથી હાડકાંને રિપ્લેસ કરી શકાય છે. જયપુર કે જર્મનીનો પગ બેસાડી શકાય છે. અંધને દેખતો કરી શકાય, આંખના કોર્નિયાથી લઈને કિડની સુધીનું બધું જ બદલી શકાય છે. માણસને સગવડ આપવાનું પોતાનું વ્રત પાળવા વિજ્ઞાન કટીબદ્ધ છે. પણ તે માણસની મનઃસ્થિતિને બગાડે છે અને પરિસ્થિતિને સુધારે છે માટે જોખમી છે.
આખરે તો વિજ્ઞાન પણ એક શાસ્ત્ર છે. યંત્ર, મંત્ર કે શાસ્ત્ર યોગ્યને જ અપાય. ભગવાન મહાવીર સ્વામી પાસેથી ગોશાલકે તેજોલેશ્યાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. અનેકને બાળવામાં જ તેણે તે વિદ્યાનો પ્રયોગ કરેલો. એટલી હદે કે ગોશાલકે વિદ્યા પ્રયોગથી ભગવાન મહાવીર સ્વામી ઉપર પણ આગ છોડી હતી. આજની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે માણસના હાથમાં આવેલી વૈજ્ઞાનિક સિદ્ધિઓ એટલે જાણે ગોશાળાના હાથમાં આવેલી તેજલેશ્યા. માણસે જ વિકસાવેલાં સાધનો આજે માણસને ડરાવે છે.
વિજ્ઞાન રોગના મૂળ કારણ (અસંયમ) તરફ દુર્લક્ષ સેવે છે અને રોગની અસર (શરીર પીડા) તરફ સાવધ રહે છે. એક દાખલો લઈએ:
-----– મનનો મેડિકલેઈમ ૭૪)
--