Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 97
________________ વર્ષ લાગે તેટલું મોટું તો આ નુકસાન નથી જ!” પ્રભુની સામે વર્ષોથી પ્રાર્થના કરતાં કોઈ સંતને એક યુવકે પૂછ્યું, “આ શું રોજ હાથ જોડીને સમય બગાડો છો. આમાં કાંઈ મળે છે ખરું?” સાધકે જવાબ આપ્યો : “સમય બગાડતો નથી, સમય સુધારું છું. પ્રભુને કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી જ નથી. પણ તમે તો વર્ષોથી એવા ને એવા જ છો.” પેલો ગર્યો. સંતે ઠંડે કલેજે સમજાવતાં કહ્યું : “જો, મારી અને તારી દ્રષ્ટિમાં ફરક છે.” ભિક્ષાર્થે જઉં અને કાંઈ ન મળે ત્યારે પણ મન હવે સ્વસ્થ રહે છે. પહેલાં આવું બનતું નહોતું. આ સ્વસ્થતાની તાલીમ પણ મને અહીં મળે છે, કારણ કે અહીં વર્ષો સુધી પ્રાર્થના કરવા છતાં કાંઈ ન મળે તો પણ ધીરજ અને સ્વસ્થતા રહેતી હતી. અહીં કેળવેલી સ્વસ્થતા ત્યાં કામ લાગી. બોલ! વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહેવાનું સામર્થ્ય મળ્યું કે નહિ?' આ છે ભક્તની મનોદશા. ભગવાન કાંઈ જ ન આપે તેવું તો બને જ નહિ. ભગવાન જ્યારે કાંઈ ન આપે ત્યારે સ્વસ્થતાની તાલીમ આપતા હોય છે. આ ઉદાહરણ પાંચ વખત વાંચી જવા ભલામણ. કારણ કે... જમવા બેસો ને રસોઈ તૈયાર હોય ત્યારે.... સ્ટેશને જાવ... ને ગાડી મોડી હોય ત્યારે... પેમેન્ટલવા જાવ ને તારીખ પડે ત્યારે... કોઈને મળવા જાવ..ને ઘર બંધ નીકળે ત્યારે... આ વાંચેલું હશે તો ખૂબ કામ લાગશે. ધીરજ અને સ્વસ્થતાની તાલીમ મેળવવામાં...! ------ – મનનો મેડિકલેઈમ (૯૨)

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110