Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 108
________________ સ્વભાવે ખૂબ જ ઉદ્ધત હોય, વડીલ દરેક વાતે ટોકટોક કર્યા કરતા હોય, કેન્સર અંતિમ સ્ટેજમાં હોય, બંને કિડની ફેઈલ થઈ ગઈ હોય કે વ્યક્તિ અપ્રજ્ઞાપનીય હોય તો તેની પણ ઉપેક્ષા કરવાનું શાસ્ત્રો વિધાન કરે છે. તો પછી રોગ કે સંયોગ અસાધ્ય હોય તેનો અસ્વીકાર કઈ રીતે થાય? કાયાની સાધના માટે પણ કેટલો પરિશ્રમ ઉઠાવવો પડતો હોય છે. શરીરની ચુસ્તતા જાળવવા માટે રમતવીરોએ સતત પ્રેક્ટિસ કરતાં રહેવું પડે છે. પહેલવાનને પોતાના રોજિંદા ઘટનાક્રમમાં “કસરત'ને અગત્યનું સ્થાન આપવું પડે છે. દાયકાઓથી પોતાના કામણગારા કંઠનો જાદુ પાથરી રહેલા સંગીતકારો પણ સ્વરને હંમેશા રિયાઝ' સાથે જોડી રાખે છે. કલાકારો પણ પર્ફોમ કરતા પહેલા રિહર્સલ કરી લેતા હોય છે. બુદ્ધિની ધારણા શક્તિને ટકાવવા માટે પણ પરાવર્તન જરૂરી છે. સૂત્રકારો કહે છે કે “પક્ષાતૂર્ણ તૈયારTI: ક્ષહૂિર્ણ સતાર્વિ:” માત્ર પંદર દિવસ માટે વ્યાકરણના પુનરાવર્તનને અભરાઈ પર ચડાવી દ્યો એટલે તે વ્યાકરણ કાયમ માટે અભરાઈ ઉપર જ રહે. તર્કશાસ્ત્રની સંગતિ ક્ષણવારછોડી એટલે તે કાયમ માટે જતું રહે. કાર્યશક્તિ અને બુદ્ધિશક્તિને મેઈનટેઈન કરવા જો આવી સાધના જરૂરી હોય તો પછી મનોજય તો ખૂબ દુર્લભ સિદ્ધિ છે. તે માટે મનને સતત કેળવતા રહેવું પડે. કંઈક અવનવું, અજુગતું, અણધાર્યું બને કે તેને મનોજયનું પ્રેક્ટિસ સેશન માની લઈ મનની કેળવણીની આવી ઉત્તમ તરફ છોડવી ન જોઈએ. મનને આ રીતે તબક્કાવાર કેળવવાથી આપણી પ્રસન્નતાનું પ્રોગ્રામિંગકરી શકાય. - મનનો મેડિકલેઈમ (૧૦૩)

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110