Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 55
________________ “જો હું મૂંગો થઈ જાઉં તો...!” “જો મને પગે ફ્રેક્ટરથઈ જાય તો....' જો મને ધંધામાં નુકસાની જાય તો....!” જો કુટુંબમાં ઝઘડો થાયતો...!! “જો મારી આંખો ચાલી જાયતો...!' “જો મારી કિડની ફેઈલ થઈ જાય તો..!” જો મને લકવો લાગુ પડે તો...” જો મને કેન્સરથાયતો....!' જો મને ડાયાબિટીસ થાયતો..” “જો હું પરીક્ષામાં નાપાસ થાઉં તો..!” જો મારો દીકરો મારાથી જુદો થઈ જાય તો...” આજનો બુદ્ધિવાદ કદાચ આને નેગેટિવ એપ્રોચ કે નાસીપાસવાદ કહી દેશે. પણ સંભવિત ભયસ્થાનની ગણતરીપૂર્વક સલામતીનું આયોજન કરવું એ તો પ્રકૃષ્ટ બુદ્ધિવાદ ગણાય છે. જાણે કે મેનેજમેન્ટ કોર્સનું સર્વેસર્વા હોય તેવો એક પ્રસિદ્ધ અંગ્રેજી ક્વોટ છે. Hopeforthebestandbereadyfor the worst. આમાં પણ શેના માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે? માણસ (સાવ સારા સારા શરીરે) મેડિક્લેઈમ ઉતારે છે, તેની પાછળ કયા વિચારો કામ કરે છે? કોઈ કિંમતી વસ્તુની ખરીદીની સાથે જ તેનો વીમો ઉતારી લેવા પાછળ કયા વિચારો કામ કરે છે? સંભવિત નુકસાની સામે સાવચેતીના પગલા અંગેનો વિચાર તો બુદ્ધિમત્તાનો સૂચક છે. ટૂંકા લક્ષ્યવાળા માનવીને નુકસાની માત્ર આર્થિક અંદાજમાં જ માપતા આવડે છે. માટે સંભવિત રોગ, અકસ્માત કે હોનારતમાં પોતાને આર્થિક વળતર મળી રહે તેટલું જ માત્ર તે ગોઠવી લે છે. પણ -------– મનનો મેડિકલેઈમ (૫૦)--------

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110