________________
T માંદગીની સોનોગ્રાફી
વર્તમાનયુગમાં “અછતની જબરી બોલબાલા છે. ક્યાંક અનાજની અછત, ક્યાંક પાણીની અછત, ક્યાંક પેટ્રોલની અછત, ક્યાંક ઊર્જાની અછત, ક્યાંક પૈસાની અછત. પણ આ બધાને ટપી જાય તેવી એક છે “સમય”ની અછત, કારણ કે બીજું બધું હજી ઊછીનું મળે સમય કોઈને કોઈનો મળી શકતો નથી. સંપત્તિના હવાલા પડે, સમયનો હવાલો પાડી શકાતો નથી. આજે સમયની ખેંચ એટલી બધી વર્તાતી હોય છે કે નવરો માણસ પણ ખૂબ બિઝી હોય છે. '
ઘણાં કાર્યો કરવાં જેવાં હોય છે, કરવાની ઈચ્છા પણ હોય છે, કરવાના સંયોગો પણ હોય છે છતાં કરી શકાતાં નથી. કારણ એ જ કે સમય નથી.” માણસને સારું સાંભળવું ગમે છે પણ સાંભળવા માટે સમય નથી. વિદ્યાર્થી વર્ગ અભ્યાસના ભાર નીચે એવો દટાયો છે કે તેની પાસે ફરવાની ય ફુરસદ નથી. વેપારી વર્ગ વેપાર કાર્યોમાં એવો તો ગળાડૂબ છે કે તેની પાસે મરવાની ફુરસદનથી.
જીવનમાં ક્યારેક આવી જતી માંદગી શું આપી જાય છે, કહું? માંદગી પીડા આપે છે તે માંદગીની સાચી ઓળખ નથી. કારણ કે માંદગી સિવાય પણ પીડાતો અનેક રીતે આવે જ છે. માંદગીની ખરી ઓળખ એ છે કે તે “નવરાશ આપે છે. સમયની તીવ્ર ખેંચ અનુભવતા જીવને જાણે કે સમયની સુપર લોટો લોટરી લાગી ગઈ. માંદગી વખતે બસ સમય જ સમય... નવરાશ જ નવરાશ... આરામ જ આરામ.
વર્ષોથી વાંચ્યા વગર જ રાખી મૂકેલાં સારાં પુસ્તકોને લગભગ આવા સમયે જ આપણો સ્પર્શ અને સમય આપી શકાય છે. સગા દીકરા કે ભાઈ સાથે જેને વાત કરવાનો સમય નહોતો મળતો તે મિત્રોને,
---
– મનનો મેડિકલેમ (૧૮)
-