Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
જણાવે છે કે સમવરણમાં પ્રભુની દેશના–“ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ તેમજ સ્ત્રીઓ મળીને ત્રણ પર્ષદા ઉભી ઉભી સાંભળે છે જ્યારે ઉપરના સમાધાનમાં “ચાર પ્રકારની દેવીએ અને સાધ્વીઓ એ બે જ પર્ષદા ઉભી ઉભી સાંભળે છે. એમ જણાવેલ છે, તે છવચ્ચે શાસ્ત્ર જોઈને જ બોલવાની શાસ્ત્રાજ્ઞા પ્રતિની બેપરવાઈનું દ્યોતક છે.
(૬૦) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૧, પૃ. ૨૩ર કે ૧ દીપચંદ તેજપાળ ટુવડે પૂછેલી–“કેરી કાચા પાણીમાં બે રસ કાઢેલ હોય તો અચિત્ત કયારે થાય ? અને એકાસણામાં વાપરી શકાય ? સાધુ સાધ્વીને વહેરાવવામાં દેષ લાગે ખરે ?” એ શંકાનું જે-“કાચા અથવા ઉકાળેલા પાણીમાં ધોઈને કાઢેલ કેરીને રસ તેના ગોઠલા અને છેતરાં અલગ થયા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય છે. સામાન્ય રીતે લીલેત્રીની બાધાવાળાને તિથિના એકાસણામાં કેરીને રસ વપરાય નહિ. કેરીને રસ અચિત્ત થયા બાદ સાધુ-સાધ્વીને વહેરાવી શકાય છે. એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે શાસ્ત્ર અને આચરણું બંનેની વિરુદ્ધ છે. પાકી કેરી કાચા પાણીનું શસ્ત્ર હેવાને ઉલ્લેખ શાસ્ત્રમાં દીઠે નહિ હોવાથી “કેરી કાચા પાણીમાં ધોઈને તેને કાઢેલ રસ ગેહલાં છેતરાં અલગ કર્યા બાદ ૪૮ મિનિટે અચિત્ત થાય છે એમ જણાવેલ છે તે વાક્ય અર્ધ સત્ય હેઈને આચરણથી વિરુદ્ધ છે. કારણ કે નં. ૯૨ ના સુધારામાં જણાવ્યા મુજબ શાસ્ત્રમાં પાકાં ફળોની છાલ તે અચિત્ત જ કહેલ છે, અને તેથી જ ગોઠો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com