Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
હટવાને માટેજ છે. (૩) જ્યારે વીરપ્રભુની દેશના ચાલી ૨ડી હોય તે વખતે અપ્રમત્તભાવ અને પાપથી પાછા હટવાની વૃત્તિ હજારે લાગુ બી અધિક વધી જાય છે, (૪) તે માટે દેશના છેડી તે તે ક્રિયાઓ કરવા જતાં લાખનો લાભ છેડીને હજારના લાભ લેવા પાછળ દોડવા જેવું છે.” એ પ્રમાણે સમાધાન અપાયું છે તે આ અંકની પહેલાના જ નવમા અંકમાંના પિતાનાં સમાધાનથીયે વિરુદ્ધ છે અને શાસ્ત્રથીયે વિરુદ્ધ છે. જે નંબરવાર નીચે પ્રમાણે -
(૧) આ પહેલાના ૬૧ નંબરના સુધારામાં જણાવ્યા પ્રમાણે એમ. એમ. શાહ ભૂજવાળાને આપણું આ આચાર્યશ્રીએ, આ પ્રતિકમણાદિક ક્રિયાઓને એક મહિના પહેલાં તે પુણ્યાનુબંધી પુણ્યની પોષક કહી છે અને અહિં બીજે જ મહિને તેઓશ્રી તે જ કિયાઓને અપ્રમત્તભાવ પિષક અને પાપથી પાછા હટવાની જણાવેલ છે, તેથી પિતાનાં તે સમાધાનથી પણ પોતાનું આ સમાધાન વિપરીત છે; એ જોતાં આ સમાધાન તેઓના હાથે પણ કલ્પિત ઠરે છે! તદુપરાંત આ સમાધાનમાં તેઓશ્રીએ જે-“અપ્રમ
ભાવની વૃદ્ધિ કરનારી તે ક્રિયાઓ છે.” એમ જણાવેલ છે તે સદંતર કપોલકપિત છે. પ્રતિક્રમણાદિ ક્રિયાથી માંડીને દેશના શ્રવણાદિ ક્રિયાઓ પ્રમત્તભાવવાળાઓને જ હોય છે. અપ્રમત્તભાવવાળાને તે કિયાકે દેશનાથવણાદિ હેતું નથી. જે અનુષ્ઠાને જેને કરવાના નથી તે અનુષ્ઠાને તેના “અપ્રમત્તભાવને સેવવા માટે જ છે અને તેના અપ્રમત્તભાવની વૃત્તિને હજારે લાખ ગુણી અધિક વધારે છે” એમ કહેવું તે જવાબદારીની બેપરવાભર્યું શાસ્ત્ર વિરુદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com