Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
શ્રી જિનેશ્વરીએ દેવતત્વ પછી બીજા નંબરે ગુસ્તત્વ મૂકયું છે તેથી બીજા નંબરના તત્વને વંદન કરવામાં વાંધો નથી.” એમ કહેવા વડે આચાર્યશ્રી, જે તે બે તને મનસ્વીપણે જ સ્થાપનાનિપા તરીકે લેખીને જિનમૂર્તિની પાસે ગુરુમૂર્તિ પધરાવવાને આગ્રહ ધરાવતા હોય તે પણ તેઓશ્રીએ, શ્રી સિદ્ધચકયંત્રમાં શ્રી જિનમૂર્તિની બંને બાજુ-ડેજ બનાવાતી આચાર્ય અને સાધુની મૂર્તિની વચ્ચે (ખાનાદીઠ) જેમ દીવાલ રૂપે અંતર પાડવામાં આવે છે એ દષ્ટાંતે શ્રી જિનની મૂર્તિ અને ગુરુની મૂર્તિની વચ્ચે દીવાલરૂપ આંતર રાખવાનું તે સ્વીકારવું જ રહે છે. અન્યથા એવાં કવિપત સમાધાનેથી આ કાળે તે-સમય જતાં પ્રભુ મંદિરમાં જિનની મૂર્તિ એક હશે અને તેની જોડે આજુબાજુમાં પોતાની અને પોતાની ગુર્નાદિની મૂર્તિઓ તે ડઝનબંધ પણ ગોઠવાઈ જવાની અને તેના પરિણામે જિનમંદિર, ગુરુમંદિર બની જવાની કલ્પના તે આજે પણ થઈ શકે તેમ છે. આ બધું વિચાર્યા વિના આવાં મનસ્વી સમાધાને અપાય છે તેથી પ્રભુશાસનને નુકશાન નાનું સૂનું સમજવું રહેતું નથી.
(૬૫) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧, પૃ. ૬૦૮, કે. ૧ તે જ પ્રશ્નકારની–“ પ્રભુ મહાવીરસ્વામીજીએ અન્તિમ સેળ પહેર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ આદિએ પ્રતિક્રમણાદિ ક્રિયા કેવી રીતે કરી હશે?” એ શંકાનું જે “(૧) પ્રતિકમણાદિ ક્રિયાઓ અપ્રમત્તભાવને સેવવા માટે જ છે. (૨) તેમજ પ્રતિક્રમણ ખાસ કરીને પાપથી પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com