________________
જેને સાહિત્ય સમારોહ-મુછ a
અપેક્ષાકારણમાં અગાઉ જણાવ્યા મુજબ પૂર્વકૃત કર્મ છે. જ્યારે નિમિત્ત કારણુમાં જીવનું સમ્યફ કર્તાપણું છે. કેમ કે દેવને ઈષ્ટરૂપે સ્વીકારવા-સ્થાપવામાં, ગુણીજનને ગુરુપદે સ્થાપવામાં તથા સાધાર્મિક, સુજન, સંત સમાગમ સત્સંગ કરવા આદિમાં તેમજ અર્ચના-ઉપાસનાદિ કરવામાં કર્તાપણું છે. અપેક્ષા અને નિમિત્તકારણને પ્રાપ્ત કરી અસાધારણકારણ તથા ઉપાદાનકારણમાં પ્રવેશ કરવાનો છે કે જ્યાંથી અભ્યતર મેક્ષમાર્ગની શરૂઆત થાય છે. જેના અંતે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે જ અસાધારણ અને ઉપાદાન કારણ ઉભય અભેદ થઈ જાય છે. જ્યારે નિમિત્તસાધન નિમિત્ત જ રહે છે. ભેદરૂપ જ રહે છે. પણ અભેદ થતું નથી. જ્યારે અપેક્ષાકરણ: દેહના અંતે સાથે નિર્વાણુ થતાં અંત પામે છે.
અપેક્ષાકારણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં તે આપણને આપણું શુભકર્મો સહાયભૂત થાય છે. પરંતુ નિમિત્ત કારણરૂપ દેવગુરુ ભગવત આપણને અપેક્ષા અને નિમિત્તમાં જ ગાંધી ન રાખતાં આપણને અસાધારણ અને ઉપાદાન કારણુમાં જવા પ્રેરે છે. કમ કાંઈ આપણને અસાધારણ અને ઉપાદાનકારણમાં લઈ જતાં નથી. સ્કૂલ ઉદાહરણથી સમજવું હોય તે સમજી શકાય કે અમુક સંગમાં વૈદ્યદાકતર નળી દ્વારા અન્ન જઠરમાં પહોંચાડી દેશે પણ તે અનમાંથી રસ-લોહી–વીર્ય શક્તિ તે શરીરે સ્વયં જ બનાવવી પડશે. પૂર્વ પુણ્યકર્મના ઉદયે શ્રીમંત કુટુંબમાં જન્મ એ પૂર્વકૃત કર્મને કારણે મળે અને ટળી જઈ શકે છે. પણ શ્રીમંત-સમૃદ્ધ સંસ્કાર વારસે તે શ્રીમંત સંસ્કારી સ્વજન, મિત્ર, સત્સંગ, વાયન આદિન નિમિત્તથી જ મળી શકે છે. બાહ્ય સાધન (ઉપકરણ)થી સાધના કરવાની છે અને અત્યંતર અસાધારણ કારણ દ્વારા ભાવમાં આરોહણ કરવાનું છે. અર્થાત પરંપરાએ ક્ષપકશ્રેણિ માંડવાની છે જે ઉપાદાનકારણની ખિલવણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org