________________
દિવ્ય અવનિ'
૧૦૯
ગમેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પિતાના “અનેકાન્તજ્ય પતાકા” નામના ગ્રન્થમાં ક્યાંકથી ઉદ્દધૃત કરેલે સૌ પ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લેક એથી કેટલે વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથને એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિત બનેલે આ ક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે.
પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદસરિવિરચિત પ્રવચન સદ્ધાર” ગ્રંથમાં નીચે પ્રમાણે બ્લેક મળે છે?
ककिल्लि कुसुमवुट्ठी देवझुणि चामरासणाईच । भावलय भरी छत्त जयंति जिणपाडिहेराई ॥
[કંકિલિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ, ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાલિહેર (પ્રાતિહાર્ય) જય પામે છે.]
પ્રાતિહાર્યા શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉપરથી આવ્યું છે. પ્રતિહાર કરે તે પ્રતિહાય. પ્રતિહાર શબ્દ પ્રતિ + હ ઉપરથી આવ્યો છે. પ્રદ શુતિ ગ્રામવર્ધમાનયતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારને એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારને અર્થ થાય છે દ્વારપાળ, બારણને રક્ષક, ચોકીદાર, પહેરેગીર. * પ્રતિહારને વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાને અંગરક્ષક, વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દે. દેવે સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે રચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના કેને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે... પ્રાતિહાર્યો લેકેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org