________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વિશેષાંકને માટે વિષયોની વિચારણા ચાલતી હતી તે વખતે પ્રસંગોપાત શ્રીયુત કુંવરજીભાઇએ પિતાનાં કેટલાંક જુનાં સંસ્મરણોમાંથી આ પ્રસંગ સંભળાવ્યો. લગભગ એમના પિતાના જ શબ્દોમાં અમે અહીં તે ઉતારી લીધો છે.
ચોથે આરે બહુ ધનવંતા,
પણ નહીં ખાડે પૂરાણે જી; “આ કાળે મોતીશા શેઠે,
કનક-રૂપયે ભરાવ્યું............સુણજો. ” માત્ર બે પંક્તિઓમાં, પંડિત શ્રીવીરવિજયજીએ જૈન સંઘના એક સાહસિક શ્રીમંતની કીર્તિકથા સમાવી દીધી છે. - શ્રી શત્રુંજયગિરિ કઈ પણ યાત્રી મોતીશાહ શેઠે બંધાવેલી ટુંકના દર્શન કર્યા વિના નહીં રહ્યો હોય. ડુંગરની બે સ્વાભાવિક ટેકરીઓને પિતાની મંદિરમાળાવડે સાંકળનારી આ ટુંક, એક શ્રદ્ધાળુ જેન શ્રીમંતનાં વૈર્ય અને ઔદાર્યની સાક્ષીભૂત છે. ચોથા આરામાં, જે વખતે ઘણા ધનવંત હતા અને સાથે શક્તિવંત હતા તેઓ પણ જે ખાડે પૂરવાનું સાહસ કરી શકયા નહીં તે આ પંચમ કાળમાં મેતીશા શેઠે કર્યું. એટલે કે મેતીશા શેઠે એ આખો યે ખાડો સોના-રૂપાથી ભરા
For Private And Personal Use Only