________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ન
કાકા
-સ્તા ના
સ્તુતિ
સાહત્યમાં
ર
પરિવર્તન
પરિવર્તનશીલ સંસારમાં એવી એક પણ વરતુ નથી કે જે દરેકે દરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણું સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્ય પણ વંચિત નથી રહી શક્યું, અર્થાત્ જગતની અનન્ય વિભૂતિનું પિતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુને બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય ઉપર્યુક્ત શાશ્વત નિયમથી અપૃષ્ટ નથી રહી શકયું, એ આપણે આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ.
એક સમય એવો હતો કે જ્યારે, અત્યારે આપણે નજર સામે દેવપાસનાને લગતું જે ચિત્રવિચિત્ર રતિ-સ્તોત્ર-સ્તવનાદિ વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું, તેમ છતાં એક-બીજા દર્શન, એક-બીજા સંપ્રદાય અને એક-બીજી પ્રજા સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પોતાની નજર દેડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગ્યા.
For Private And Personal Use Only