Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
‘યશો મમ તવ રહ્યાતિ:, પુછ્યું ૨ મુનિનાય ! विश्वलोकोपकाराय, कुरु व्याकरणं नवम्' ||
‘મારો યશ ફેલાશે, મહારાજ ! અને તમારી ખ્યાતિ થશે અને પુણ્ય તમને અને મને ઉભયને મળશે. કૃપા કરો, ગુજરાતનું સંસ્કારદારિત્ર્ય દૂર કરો અને સાહિત્યક્ષેત્રે ગુજરાતની કંગાલિયત દૂર કરો.'
રાજાના મનમાં સરસ્વતી કંઠાભરણના ગ્રન્થો રમે છે. રાજાના મનમાં એક પ્રસંગ—માલવવિજય વખતે જાણેલો એક ભવ્ય પ્રસંગ—ઘૂંટાય છે
ભોજરાજા મરણપથારીએ પડ્યો છે. ચારે બાજુ દુશ્મનોનો ઘેરો લાગેલો છે. મંત્રીઓએ રાજાને ભોંયરામાં છુપાવી દીધો છે. કિલ્લાના અને નગરના દરવાજા બંધ છે. આથી ભોજ ઘાયલ થઈ ગયો છે – મનથી, ‘હું હારવાનો ? મારે કાયરની જેમ ભોયરામાં ભરાઈ રહેવાનું ?’ ને એને શોષ પડે છે. મરણ નજીક છે. શોષ પડે છે ને રાજા દાસીને કહે છે કે પાણી લાવ.
-
એ મારી તમારી જેમ - ‘પાણીનું ડોલચું લાવ કે પ્યાલો લાવ, એમ પાણી નથી માગતો. ના ! ભોજ માટે એ શક્ય નથી.
એ માગણી કરે છે જરા જુદી રીતે, કલાત્મક રીતે. મરણપથારીએ પડેલો રાજા, હૈયાથી જમ્મી બનેલો રાજા, પણ એની સંસ્કારિતા, એનું સાહિત્ય અહીં પણ પ્રગટે છે. એ દાસીને કહે છે
'स्वच्छं सज्जनचित्तवत् लघुतरं दीनार्थिवत् शीतलं पुत्रालिंगनवत् तथा च मधुरं बालस्य संजल्पवत् । एलो शीरलवंगचंदनलसत् कर्पूरक स्तूरिका जातीपाटलकेसरासुरभितं पानीयमानीयताम् ॥'
‘સ્વછે સપ્નપિત્તવત્.... દાસીને કહે છે - રાજા ભોજ કે સ્વચ્છ પાણી મારે પીવું છે બહેન ! પણ કોના જેવું સ્વચ્છ? સન્નચિત્તવત્ સજ્જનોનું હૈયું જેવું નિર્મળ હોય, એવું પાણી લાવજે.
વળી, એ પાણી બહુ ભારે ન જોઈએ. હળવું જોઈએ. હ્રદ્યુતાં...કોની જેમ ? વીધિવત્ દીન બનીને ભીખ માગવા આવેલો યાચક જેમ હલકો હોય, હળવો હોય ભારે નહોય, પાણી પણ એવું હળવું જોઈએ. અને વળી, શીતલ ઠંડું શાંતિ ઉપજાવે એવું ઠંડું પાણી જોઈએ. ફ્રીજનું નહિ, બરફ નાખેલું નહિ, મશીન
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org