Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પં. શ્રી દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયાને
પ્રશસ્તિ પત્ર
જન્મે સૌરાષ્ટ્રના, કાર્યક્ષેત્રે સમગ્ર ભારતના, માનવીય સત્તત્ત્વોથી ઓપતા સૌજન્યશીલ સારસ્વત તથા આદર્શ વિદ્યાપુરુષ, જૈન-બૌદ્ધ અને વૈદિક દર્શનોના વિશ્વવિખ્યાત અને મર્મજ્ઞ પંડિત તથા જૈન આગમ સાહિત્ય, સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અપભ્રંશ ઇત્યાદિ ભાષાઓ, તેના ઇતિહાસ તથા વિકાસક્રમના વૈજ્ઞાનિક વિદ્વાન, ન્યાયતીર્થ, સિદ્ધાંતભૂષણ, સમાજ ગૌરવ, જૈન વિદ્યા મનીષી, પ્રાકૃત જ્ઞાનભારતી તથા પદ્મભૂષણ જેવા સામાજિક, વિદ્યાકીય તેમજ રાષ્ટ્રીય બહુમાનોથી વિભૂષિત,
પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાને,
તેમના આગમિક તેમજ દાર્શનિક સાહિત્યના સંશોધન સંપાદનક્ષેત્રે આગવા તથા વિપુલ સાહિત્યના પ્રદાનને અનુરૂપ શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરતાં કરતાં અમો હર્ષ અને ગૌરવનો અનુભવ કરીએ છીએ.
: નિવેદક :
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ - અમદાવાદના સંચાલકો
Jain Education International
વિ. સં. ૨૦૪૯ આસો સુદ-૨, રવિવાર,
તા. ૧૭-૧૦-૧૯૯૩
અમદાવાદ
(૧૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org