________________
lo
વિશ્રસાકરણ (નિ. ૧૫૪) છે ૨૫૯ नावश्यमपूर्वप्रादुर्भाव एव, किं तर्हि ?, अन्योऽन्यसमाधानेऽपीति न दोषः, अथवा 'परप्रत्यययोगा-दिति परवस्तुप्रत्ययभावाद्धर्मास्तिकायादीनां तथा तथा योग्यताकरणमिति, एवमप्यनादित्वं विरुध्यत इति चेत्, न, अनन्तशक्तिप्रचितद्रव्यपर्यायोभयरूपत्वे सति वस्तुनो द्रव्यादेशेनाविरोधादित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, गमनिकामात्रत्वात् प्रारम्भस्येति, अथवा परप्रत्यययोगात् तत्तत्पर्यायभवनं साद्येव करणं, देवदत्तादिसंयोगाद्धर्मादीनां विशिष्टपर्याय इत्यर्थः, एवमरूपिद्रव्याण्यधिकृत्योक्तं 5 साद्यमनाद्यं च विश्रसाकरणम्, अधुना रूपिद्रव्याण्यधिकृत्य साद्येव चाक्षुषेतरभेदमाह-सादि चक्षुःस्पर्शं चाक्षुषमित्यर्थः, अभ्रादि, आदिशब्दात् शक्रचापादिपरिग्रहः, अचक्खु'त्ति अचाक्षुषमण्वादि, आदिशब्दात् द्वयणुकादिपरिग्रहः; करणता चेह कृतिः करणमितिकृत्वा, अन्यथा वा स्वयं बुद्ध्या योजनीयेति गाथार्थः ॥ ____चाक्षुषाचाक्षुषभेदमेव विशेषेण प्रतिपादयन्नाह -
સમાધાનઃ કરણ એટલે નવી વસ્તુની ઉત્પત્તિ થવી એટલો જ અર્થ નથી પરંતુ આ કરણ શબ્દ “એકબીજા સાથે સંયુક્તભાવે રહેવું' એવા અર્થમાં પણ વર્તે છે. તેથી કોઈ દોષ નથી. અથવા પરવસ્તુના પ્રત્યયથી એટલે કે સહકારી વસ્તુના યોગથી ધર્માસ્તિકાયાદિમાં તે તે રૂપે યોગ્યતાનું કરણ તે અનાદિ વિશ્રસાકરણ જાણવું. (અર્થાત્ પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયાની તેને સહાય કરવા રૂપ યોગ્યતા થવી તે વિશ્રસાકરણ જાણવું.)
શંકા : જો આ રીતે વિશ્રસાકરણ માનીએ તો (ધર્માસ્તિકાયાદિ) અનાદિ કહેવાશે નહીં.
સમાધાનઃ આ આપત્તિ આવશે નહીં, કારણ કે દરેક વસ્તુ અનંતશક્તિથી યુક્ત તથા દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. તેથી દ્રવ્યાસ્તિકનયે ધર્માસ્તિકાયાદિ અનાદિ અને પર્યાયાસ્તિકમતે સાદિ માનવામાં કોઈ વિરોધ નથી. આ વિષયમાં ઘણું કહેવાનું છે, છતાં ગ્રંથની રચનામાં વ્યાખ્યા જ મુખ્ય હોવાથી વધુ વિસ્તાર કરાતો નથી.
‘અથવા પર વસ્તુના યોગથી ધર્માસ્તિકાયાદિનું તે તે પર્યાયરૂપે થવું તે સાદિકરણ જાણવું, અર્થાત્ દેવદત્તાદિના સંયોગથી ધર્માસ્તિકાયાદિનો વિશિષ્ટ પર્યાય તે સાદિકરણ જાણવું. આ પ્રમાણે અરૂપિ દ્રવ્યોને આશ્રયીને સાદિ અને અનાદિ એવું વિશ્રસાકરણ કહ્યું. હવે રૂપિદ્રવ્યોને આશ્રયીને સાદિ વિશ્રસાકરણ કહેવાય છે. તે ચાક્ષુષ અને અચાક્ષુષ એમ બે ભેદવાળું છે. - ચક્ષુના સ્પર્શવાળું (એટલે કે ચક્ષુથી દેખાય તેવું જે હોય) તે ચાક્ષુષ કહેવાય છે. વાદળો વિગેરે સાદિ ચાક્ષુષ 25 વિશ્રસાકરણ છે. અહીં આદિશબ્દથી ઇન્દ્રધનુષાદિ લેવા. અણુ વિગેરે અચાક્ષુષ વિશ્રસાકરણ છે. (વિશેષ અર્થ આગળની ગાથામાં કહેશે.) આદિશબ્દથી જણકાદિ લેવા. તે તે રૂપે થવું તે કરણ આ પ્રમાણેના વ્યુત્પત્તિ અર્થને આશ્રયી વાદળોમાં કરણતા રહેલી છે. અથવા સ્વયં પોતાની બુદ્ધિ વડે બીજી રીતે પણ કરણતા જોડવા યોગ્ય છે. ૧૫૪ો -
અવતરણિકા : ચાક્ષુષ અને અચાક્ષુષ ભેદોનું જ વિશેષથી પ્રતિપાદન કરતાં કહે છે કે 30
15
20