Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मृताः, न पुनरन्ये कदाचन इत्युक्तमोघजीवितं, 'णेरड्याईण भवेत्ति नारकादीनामिति, आदिशब्दात् तिर्यङ्नरामरपरिग्रहः, भव इति द्वारपरामर्शः, स्वभवे स्थितिर्भवजीवितमिति, उक्तं भवजीवितं, 'तब्भव तत्थेव उववत्ति'त्ति तस्मिन् भवे जीवितं तद्भवजीवितं, इदं चौदारिकशरीरिणामेव भवति, यत आह-तत्रैवोपपत्तिः, तत्रैवोपपात इत्यर्थः, भवश्च तदायुष्कबन्धस्य प्रथमसमयादारभ्य 5 यावच्चरसमयानुभवः, स चौदारिकशरीरिणां तिर्यङ्मनुष्याणां तद्भवोपपत्तिमागतानां तद्भवजीवितं સિદ્ધો મૃત્યુ પામ્યા છે, પરંતુ સિદ્ધ સિવાય બીજા કોઈ અન્ય જીવો ક્યારેય આ જીવિતને આશ્રયીને મૃત્યુ પામ્યા નથી. ઓઘજીવિત કહ્યું. નારકાદિની, આદિશબ્દથી તિર્યંચ, દેવ, મનુષ્યોની પોતપોતાના ભવમાં જે સ્થિતિ = રહેવું તે ભવજીવિત કહેવાય છે. ભવજીવિત કહ્યું. હવે તદ્ભવજીવિત કહેવાય છે. તે ભવમાં જીવિત-જીવન એ તદ્દભવજીવિત. આ 10 તદ્ભવજીવિત ઔદારિકશરીરવાળાઓ (એટલે કે તિર્યંચ – મનુષ્યોને જ) હોય છે, કારણ કે તે જ ભવમાં ઉપપત્તિ-જન્મ એ તદ્ભવજીવિત છે અને એ ઔદારિકશરીરીઓને જ હોય છે. (આશય એ છે કે દેવ કે નારક પોતાના ભાવમાં રહે છે, એટલે એમને એ ભવજીવિત તો ઘટે છે પરંતુ દેવ કે નારક ફરી તે જ ભવમાં ઉત્પન્ન થતા નથી માટે તેમને તદ્ભવજીવિત ન સંભવે.) તે તે આયુષ્યના બંધ પછીના પહેલા સમયથી માંડીને આ ભવના છેલ્લા સમય સુધીનો 15 અનુભવ એ ભવ કહેવાય છે. (દા. ત. કોઈ મનુષ્ય ૯૯ વર્ષના આયુષ્યવાળો હોય, ૬૬ વર્ષની ઉંમરે એ ૧૦,000 વર્ષનું દેવાયુષ્ય બાંધે, તો ૬૬ વર્ષથી માંડીને ૩૩ વર્ષ મનુષ્યભવના=અબાધાકાળના અને દેવભવના ૧૦,૦૦૦ વર્ષ. આમ ૧૦ હજાર + ૩૩ વર્ષ દેવનું ભવજીવિત કહેવાય. આ રીતે ચારે ગતિ માટે સમજી લેવું. અહીં ‘ભવજીવિત’માં જે “ભવ’ શબ્દ છે તેનો આ અર્થ સમજવો. પરંતુ 20 તદ્દભવજીવિતમાં રહેલ “ભવ’ શબ્દનો નહીં, કારણ કે જો તદ્ભવજીવિતના ભવ શબ્દનો આ અર્થ સમજીએ તો તદ્ભવજીવિત અબાધાકાળ સહિતનું માનવું પડે, જ્યારે હવે પછી આગળ તભવજીવિત અબાધાકાળથી ન્યૂન જણાવ્યું છે, તેથી પૂર્વાપર વિરોધ આવે. તે ન આવે માટે ઉપરોક્ત અર્થ ભવજીવિતમાં રહેલ “ભવ' શબ્દનો જાણવો.) આ ચરમસમયાનુભવરૂપ ભવ એ જ તદ્ભવજીવિત બને છે. ( વ .... તd25 નીવિત મવતિ....... એમ અન્વય કરવો. તે કોને હોય છે? તો તે બતાવે છે કે) ઔદારિકશરીરવાળા તિર્યંચ-મનુષ્યો છે કે જેઓ તિર્યંચ-મનુષ્યભવમાં જન્મ પામી ચૂક્યા છે, એમનો એ ભવ જ તદૂભવજીવિત બને છે. (દા.ત. ૬ માસ બાકી રહેતા દેવ ૧૦૦ વર્ષનું મનુષ્યાય બાંધે, ત્યારે ૧૦૦ વર્ષ + ૬ માસ એ મનુષ્યનું ભવજીવિત છે. હવે એ જ દેવ ૬ માસ પસાર કરીને જ્યારે મનુષ્યભવમાં જન્મ પામે, મનુષ્ય બને, ત્યારથી માંડીને એ જ ભવજીવિત હવે તદ્ભવજીવિત 30 ગણાશે અર્થાત્ તદ્ભવજીવિત અહીં ૧૦૦ વર્ષનું થશે.) આ તભવજીવિત માત્ર ઔદારિકશરીરીઓને જ માનવું.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418