Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ધર્માનુષ્ઠાનોની ક્રિયા આવે તો તે સફળ થાય અર્થાત્ મોક્ષહેતુ બને. અને કદાચ આવું વિશિષ્ટ આત્મજ્ઞાન હજુ આવ્યું ન હોય તો પણ તેવા જ્ઞાની ગુરુની નિશ્રામાં રહીને તેવા આત્મજ્ઞાનને મેળવવા માટે વૈરાગ્યાદિ સેવાતા હોય તો પણ સફળ છે. અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણ છે. દા ત્યાગ અને વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન । અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન III જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ન હોય તેઓને આત્મજ્ઞાન થતું નથી, અને જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ઉત્પન્ન થયો છે, પરંતુ તેઓ તેના વડે સંતુષ્ટ થઈ ત્યાં જ અટકી ગયા છે. તેઓ પણ આત્મજ્ઞાન ભૂલે છે. અર્થાત્ તેઓને પણ આત્મજ્ઞાન થતું નથી. (કારણ કે અપૂર્ણમાં જ પોતે પૂર્ણ બુદ્ધિ કરી છે) ॥૭॥ જે આત્માઓના ચિત્તમાં સંસારના ભોગોનો ત્યાગ વસ્યો નથી. અને એટલે જ જીવનમાં ભોગોનો ત્યાગ-તપ-સંયમ કદાપિ આવતાં નથી તેમજ ભોગો અસાર છે, તુચ્છ છે, નાશવંત છે, અન્ને પણ દુ:ખદાયી છે એવો વૈરાગ જેના ચિત્તમાં આવ્યો નથી. તેઓને સાચું આત્મજ્ઞાન થતું નથી. તથા વળી જેઓને ત્યાગ-વૈરાગ પ્રાપ્ત થયો છે. પરંતુ તેનાથી જ અતિસંતુષ્ટ થઈ ગર્વિષ્ઠ બને છે, અને જાણે આપણે તો તરી ગયા, કૃતકૃત્ય થઈ ચૂક્યા એમ માને છે તેઓ પણ ૧. ત્યાગ – સાંસારિક સુખો છોડી દેવાં તે, ૨. વિરાગ=વૈરાગ્ય સુખ ઉપરની પ્રીતીનો ત્યાગ ૩. નિજભાન = આત્મજ્ઞાન ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90