Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ લોપ કરી પોતે જ પૂર્ણજ્ઞાની છે એમ માની કારણો રહિત થઈને વર્તે.ર૯ો જે આત્માઓ અંતર્દષ્ટિ વિનાના છે અને કેવળબાહ્ય વ્યવહારમાં જ અને આડંબર-દેખાવ-મોટા-માન-પાનમાં જ રાચ્યા-માગ્યા છે. એવા એકાન્ત વ્યવહારવાદીને ઉપરના શ્લોકોથી મતાર્થી કહીને ગ્રંથકારે જેમ ઠપકો આપ્યો તેમ હવે બાહ્યઉત્તમ વ્યવહારનો લોપ કરી એકાન્ત નિશ્ચયમાર્ગનો જ આશ્રય કરનારાને પણ ઠપકો આપે છે કે સમયસાર-યોગવાસિષ્ઠ આદિ નિશ્ચયનયના પ્રતિપાદક ગ્રંથો ભણી આત્મા અકર્તા-શુદ્ધમાત્ર જ છે. ઇત્યાદિ મનથી કલ્પી બોલવામાં શબ્દોથી એટલી બધી ઊંચી વાતો કે જાણે સાક્ષાત્ આ જ વીતરાગ પરમાત્મા છે તેવું પરંતુ વર્તનમાં કંઈ જ નહિ. કારણ કે જડએવું શરીર ભોગો ભોગવે તેમાં આત્માને કંઈ કર્મબંધાદિ થતા નથી. તેવું મનથી માને અને સરુનો વિનય-સેવા-ભક્તિ આદિ સવ્યવહારનો લોપ કરે. અને પોતે પૂર્ણજ્ઞાની છે એમ માની ગુરુનિશ્રા આદિ મોક્ષનાં જે અનન્ય કારણો છે તે કારણો વિનાનો થઈને વર્તે તે પોતે જ પૂર્ણ છે એમ માને. આ મતાર્થીનું સાતમું લક્ષણ જાણવું. રિલા જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.૩૦ જે આત્માઓ આવા એકાન્ત નિશ્ચયવાળા છે. તેઓ સાચુ જ્ઞાન પામે નહિ, પોતાના આત્મામાં મોક્ષનું અનન્ય સાધન-વૈરાગ્ય, તે વૈરાગ્યવાળી દશા પણ પામે નહી. એટલે પોતે તો સંસારમાં ડુબે પરંતુ જે બીજા આત્માઓ પણ આવાનો જો સંગ પામે તો તે પણ સંસારમાં ડુબે. ૧. ગુરુનિશ્રા = ગુરુની કૃપા, તેમને આશ્રય. ૨. અનન્ય = અજોડ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90