________________
તે જીવ સમ્યક્તને પ્રાપ્ત કરે છે અને અંતર આત્માની શોધ પ્રગટ થાય છે. ૧૦૯
જિજ્ઞાસુ એવો જે આત્મા છે જેને પરમાત્માનાં વચનો સાંભળવા ગમે છે સાચુ, આત્માનું સ્વરૂપ જાણવાની ઘણી જ ભૂખ ઉત્પન્ન થઈ છે. તેવામાં સદ્ગુરુનો સદુપદેશ મળી જાય તો આ આત્મા એટલે બધો વૈરાગ્યભીનો બની જાય છે કે તુરત જ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. સાચી દિશા ખૂલે છે. જીવ અને શરીરના ભેદ સમજાય છે. સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ સમજાય છે. અને આત્માનું સ્વરૂપ અંદર આત્મામાં જ શોધે છે તથા આત્માભિમુખપણે આગળ વધે છે. I૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્તે સરુ લક્ષી લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ ૧૧૦
જે આત્માઓ મત અને દર્શનનો આગ્રહત્યજી સદ્ગુરુજે બતાવે તે જ લક્ષ્યમાં પરિપૂર્ણપણે વર્તે તો આ આત્મા શુદ્ધ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. જેમાં કોઈ ભેદ કે પક્ષ નથી. ૧૧૦
આત્મા અનાદિ કાળથી મોહ અને અજ્ઞાનને પરવશ વર્તે છે. તેથી જ પોતાના મતનો કે દર્શનનો અતિશય આગ્રહી બને છે. સાચા કે ખોટા તત્ત્વની વિચારણા કરવાની ચિંતા કરતો નથી. પોતાની માનેલી માન્યાતાને જ યેન-કેન પ્રકારેણ સત્ય માની સત્ય રીતે સિદ્ધ કરવા આગ્રહ રાખે છે. પરંતુ આત્માર્થી આત્મા આવા ખોટા આગ્રહનો ત્યાગ કરી માત્ર સગુરુજી જે બતાવે તેમાં જ પૂરેપૂરો લક્ષ્યભૂત બની જાય છે. પોતાના કદાગ્રહને ત્યજી સરુની વાણીને જ ઉપકારક માની તેમાં લીન થાય છે તે આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જેમાં આ મારો પક્ષ... આ પેલાનો પક્ષ' એવો ભેદ રહેતો નથી. ૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org