________________
સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે જેહ ! પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ /૧૪૧૫
આત્માનાં પાંચ સ્થાનો વિચારીને જે છઠ્ઠા સ્થાનમાં વર્તે છે તે પાંચમું સ્થાન પામે છે તેમાં બિલકુલ સંદેહ નથી. I૧૪૧//
જે આત્માર્થી આત્માઓ ઉપર બતાવેલાં આત્માનાં છ સ્થાનોમાંથી પ્રથમનાં પાંચ સ્થાનો બરાબર સમજી વિચારી, આત્મસાક્ષાત્ નિર્ણત કરે છઠ્ઠા સ્થાનમાં (મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં) વર્તે છે તેઓ જ પાંચમું સ્થાન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી .૧૪ના
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીતા તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૧૪રા
જે મહાત્માઓ દેહમાં રહેલા હોવા છતાં દેહથી પર વર્તે છે તે જ સાચા જ્ઞાની છે તેઓના ચરણમાં અગણિત વંદન હોજ. I૧૪૨
જે મહાત્મા પુરુષો હાલ શરીરમાં વર્તે છે પરંતુ દેહથી પર વર્તે છે; દેહત સુખ-દુઃખથી હર્ષ-શોક પામતા નથી તે જ સાચા પરમાર્થે જ્ઞાની પુરુષો છે. તે મહાત્માઓના ચરણકમળમાં અમારા અગણિત વંદન હોજો ૧૪રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org