SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે જેહ ! પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ /૧૪૧૫ આત્માનાં પાંચ સ્થાનો વિચારીને જે છઠ્ઠા સ્થાનમાં વર્તે છે તે પાંચમું સ્થાન પામે છે તેમાં બિલકુલ સંદેહ નથી. I૧૪૧// જે આત્માર્થી આત્માઓ ઉપર બતાવેલાં આત્માનાં છ સ્થાનોમાંથી પ્રથમનાં પાંચ સ્થાનો બરાબર સમજી વિચારી, આત્મસાક્ષાત્ નિર્ણત કરે છઠ્ઠા સ્થાનમાં (મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં) વર્તે છે તેઓ જ પાંચમું સ્થાન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી .૧૪ના દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીતા તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૧૪રા જે મહાત્માઓ દેહમાં રહેલા હોવા છતાં દેહથી પર વર્તે છે તે જ સાચા જ્ઞાની છે તેઓના ચરણમાં અગણિત વંદન હોજ. I૧૪૨ જે મહાત્મા પુરુષો હાલ શરીરમાં વર્તે છે પરંતુ દેહથી પર વર્તે છે; દેહત સુખ-દુઃખથી હર્ષ-શોક પામતા નથી તે જ સાચા પરમાર્થે જ્ઞાની પુરુષો છે. તે મહાત્માઓના ચરણકમળમાં અમારા અગણિત વંદન હોજો ૧૪રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004650
Book TitleAtmasiddhi Shastra
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorDhirajlal D Mehta
PublisherInstitute of Indology Ahmedabad
Publication Year1992
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy