________________
જબુદ્ધ છો સર્વ કર્મ રહિત બનવાથી અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણસ્વરૂપ ચૈતન્યનો ધન (સમૂહ) પણ તું જ છો જેમ દીપક સ્વયં પ્રકાશાત્મક છે, તે બીજાને પ્રકાશે છે પરંતુ તેને કોઈ પ્રકાશતું નથી તેમ તું પોતે સ્વયં
જ્યોતિમય=પ્રકાશાત્મક છે. પરંતુ તેને કોઈ અન્યદ્રવ્યપ્રકાશતું નથી.. વિભાવદશા ટળવાથી તે જ સાચા સ્વાભાવિક અનંત સુખનું ધામ છો આથી વધારે તને શું કહીએ? તું પોતે કંઈક વિચાર કર, જેથી તું તારું પોતાનું આવું સ્વરૂપ પામી શકે II૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય ૧૧૮
સર્વે જ્ઞાની પુરુષોનો નિર્ણય અહીં આવીને સમાપ્ત થાય છે. આટલું શિષ્યને સમજાવી ગુરુજીએ મૌનતા ધારણ કરી અને સ્વાભાવિક એવી સમાધિમાં લીન થયા. ||૧૧૮
જ્ઞાની મહાપુરુષોનાં જે કોઈ આગમ શાસ્ત્રો છે, સદુપદેશ છે. પ્રતિબોધ આપે છે. તે સર્વે જ્ઞાની પુરુષોની વાણીનો આ એક જ સાર છે. આત્માને મોહરહિત કરી, શુદ્ધ-બુદ્ધ નિરંજનતા પ્રાપ્ત કરાવવી. આવો ઉત્તમોત્તમ ધર્મોપદેશ શિષ્યને આપી ગુરુજી મૌન થયા. પોતાની આત્મસમાધિમાં સ્થિર થયા એટલે કે ગરુજી ઉપદેશ આપી શાન્ત થયા./૧૧૮
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાના નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન ૧૧૯
ઉપર મુજબ સરુના ઉપદેશથી શિષ્યને પહેલાં કોઈ દિવસ ન આવેલું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થયું અને ખેતાનું સ્વરૂપ પોતાને વિષે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org