Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ ઘણું જ મુશ્કેલ છે. તે જુદા જુદા મતોમાં સાચા ઉપાયનો વિવેક બની શકે તેમ નથી ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે. ક્યા વેષમાં મોક્ષ?! એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ ૯૪ો કઈ જાતિમાં મોક્ષ થાય ? કયા વેષમાં મોક્ષ થાય ? આ બાબતનો પણ નિશ્ચય અમારાથી બની શકે તેમ નથી. કારણ કે તે બાબતમાં પણ ઘણા મતભેદો છે. એ જ મોટો દોષ છે ૯૪ો. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્રાદિ કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી સ્ત્રી-પુરુષ નપુંસક જાતિમાંથી કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી ક્યા વેષમાં મોક્ષ થાય? શું શ્વેતવસ્ત્રવાળાં વેષમાં મોક્ષ થાય? કે નગ્નાવસ્થામાં મોક્ષ થાય ? કે કેશરી આદિ અન્યરંગવાળા વેષમાં મોક્ષ થાય ? આવી બાબતોનો પણ નિશ્ચય કરવો ઘણો કઠિન છે. કારણ કે તેમાં ઘણા મતભેદો છે. સૌ પોતપોતાના મતોને સાચા જ ઠેરવવા સમજાવે છે. તેથી આ જ મોટો દોષ છે. તેથી સાચા કોઈ ઉપાય ન હોય તેમ લાગે છે !૯૫ા. તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાયો જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ll૯૫ા તે કારણથી એમ જણાય છે કે મોક્ષનો સાચો ઉપાય મળતો નથી. માટે જીવ-અજીવાદિ પદાર્થોને જાણીને પણ શું ફાયદો થવાનો છે ? ૯૫ ઉપરની ચર્ચા જોતાં એમ લાગે છે કે મોક્ષના ઉપાયોની બાબતમાં ઘણા-ઘણા મતભેદો છે. આયુષ્ય થોડું છે. કર્મો ઝાઝા ૧૭r Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90