Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ જીવનમાં સામાયિક, ક્ષમા-નમ્રતા-નવકારશીપચ્ચક્ખાણ, રાત્રિભોજનત્યાગ, અભક્ષ્ય-અનંતકાયનો ત્યાગ ઈત્યાદિ સાધારણ આચરણ તરફ પણ ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. આવા પ્રકારનું આ બન્નેનું એકાન્ત સ્વરૂપ જોઈને ડાહ્યા - સમજુ - ઉત્તમાત્માઓને તેઓ તરફ દયા ઊપજે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ ! જ્ઞાનમારગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ જો જે આત્માઓ માત્ર બાહ્યક્રિયાકાંડમાં જ રાચે છે, પોતાનું અંદરનું હૃદય જ્યાં ભેદાયું નથી (મોહ પાતળો થયો નથી) અને વિશિષ્ટજ્ઞાન ભણવા-ભણાવવાનો જે નિષેધ કરે છે. તેઓ અહીં ક્રિયાજડ જીવો કહેવાય છે. જો જે આત્માઓ વીતરાગ ભગવત્તે બતાવેલા ધર્મ પામ્યા છે. પરંતુ જ્ઞાનદશા તરફ અરુચિવાળા છે. અને જ્ઞાનદશા જાગ્રત ન થવાથી જેના હૃદયમાંથી મોહના વિકારો નાશ પામ્યા નથી; ક્રોધ માન-માયાદિથી હૃદય ભરેલું જ છે; માત્ર સાધુજીવનને ઉચિત અને શ્રાવકજીવનને ઉચિત ક્રિયાકાંડમાં જ જેઓ રચ્યા-પચ્યા રહે છે. એટલું જ નહિ પરંતુ તે ક્રિયાના સંદર્ભ વડે માનાદિ પોષે છે, અહંકારાદિ કરે છે, પોતાની જાતને વિશિષ્ટ ધર્મ સમજે છે. અને બીજાઓનો પરાભવ કરે છે તે ખરેખર સાચે જ ક્રિયાજડ કહેવાય છે. I૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી. વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી પણ ૧ બંધ = આત્માનું કર્મ સાથે જોડાવુ, ૨ મોક્ષ = આત્માનું કર્મોથી છુટવું. ૩ મોહાવેશ = આત્માનું મોહમાં મસ્ત થવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90