Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ પક્ષપાત વિનાનાં યથાર્થ લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે. રક્ષા જે જે આત્માઓને સત્ય કરતાં પણ પોતાનો પક્ષ જ વધારે વહાલો છે અને પોતાના પક્ષના અતિશય આગ્રહી છે, એવા મોહાધીન જીવોને આત્માનું લક્ષ્ય કદાપિ થતું નથી. તેઓ તો માન-બહુમાન અને મોટાઈમાં જ માગતા હોય છે. આવા મતાર્થીને ઓળખવાનાં પક્ષપાત વિનાનાં સાચાં લક્ષણો આ પ્રમાણે છે. /ર૩|| મતાર્થીનાં લક્ષણો ઃ ગાથા ૨૪થી ૩૩ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય ! અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ રજા (૧) જે વ્યક્તિમાં માત્ર બાહ્યથી જ વિષયભોગોનો ત્યાગ હોય એટલે કે અંતરંગથી જેનું મન વિષય ભોગોમાં જ ભટકતું હોય, તથા આત્મજ્ઞાન તો બિલકુલ હોય જ નહિ, એવા ગુરુને પણ જે “આ જ સત્યગુરુ છે.” એમ માને તે મતાથનું પહેલું લક્ષણ છે. (૨) અથવા પોતાના કુળધર્મના (સંપ્રદાયના) જે ગુરુ હોય તે ગમે તેવા હીન હોય તો પણ “આ જ સત્ય ગુરુ છે” એમ માને તે મતાર્થીનું બાજું લક્ષણ છે. ર૪ જે વ્યક્તિઓ પોતપોતાના પક્ષના (પછી તે પક્ષ સાચો હોય કે જૂઠો હોય - પરંતુ મારો પક્ષ છે, માટે આ જ સાચો છે એવા આગ્રહવાળા છે તે મતાર્થીને ઓળખવા માટે શાસ્ત્રોમાં આવાં લક્ષણો કહ્યાં છે. (૧) બાહ્યથી દેખીતી રીતે વિષય ભોગોનો ત્યાગ હોય. પરંતુ અંતરથી મન વિષયભોગોનું જ ઇચ્છુક હોય, તથા જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90