________________
મહાર
૭૩ - ગામ બહાર પૂર્વ દિશામાં એક ચોતરાવાળી આંબલી છે ત્યાંથી, તથા સાતસેના રસ્તા તરફ વાળે (નાળું) આવે છે ત્યાંથી; એમ બંને જગાએથી ખંડિત જિનમૂર્તિઓ પહેલાં નીકળી હતી પરંતુ ખંડિત હોવાથી ત્યાં જ પાછી ભંડારી દેવામાં આવી હતી.. સુરહીને લેખ,
મડા ગામની બહાર પૂર્વ દિશામાં પાવડિયા ફળાની પાસે જેરાજના ચોતરા પાસે એક સરઈ (સુરભી) ને લેખ
૧ સુરહી-સુરભી ગાય. જે પથ્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર કેતર્યા હોય, તેની નીચે વાછરડા સહિત અથવા વાછરડા રહિત ગાય કતરેલી હોય અને તેની નીચે રાજા-મહારાજા, ઠાકોર, જાગીરદાર વગેરેએ ગામ-ગરાસ વગેરે અર્પણ કર્યા સંબંધીના લેખે બેઠેલા હોય એવા પથ્થરોને “સુરહી” કહેવામાં આવે છે. મારવાડ વગેરે પ્રદેશમાં આજકાલ તેને “સરી” નામથી ઓળખવામાં આવે છે. આવા પથ્થોને મથાળે સૂર્ય ચંદ્ર તથા ગાય કેતરવાની મતલબ એ છે કે દાન આપનાર–લેખ લખાવનાર પોતે
જાહેર સૂચના કરે છે કે, મારું આ દાન અથવા આજ્ઞા, દુનિયા • ઉપર જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધીને માટે અર્થાત કાયમને માટે જ છે. અમુક જ મુદતને માટે નથી. વળી મારા આ દાનને જે માણસ પાછું ખેંચી લેશે–તેનો લેપ કરશે અથવા મારી આ આજ્ઞાનો ભંગ કરશે, તેને ધાવતા વાછરડા સહિત ઘાસ ખાતી ગાયને માર્યા જેટલું અર્થાત ગૌહત્યાનું પાપ લાગશે.
મુસલમાન વગેરે જેઓ ગૌહત્યાના પાપને નથી માનતા અથવા તેને મોટું પાપ ગણતા નથી એવાઓ માટે આવા પશુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org